Chapter : નમાઝ
(Page : 291)
સવાલ :– અસરની જમાઅત થઈ ગઈ છે. હું જમાઅત થઈ ગયા પછીથી ૧૦ થી ૧પ મિનિટ મોડો આવ્યો તો મારે ચાર રકાત સુન્નત પઢવી કે નહિં તેમજ અસરની નમાઝ ક્યારે કઝા થાય છે ? કેમ કે નમાઝી દિવસ અથમાવવાને અમુક મિનિટો હોય ત્યારે કઝા પઢે છે ?
જવાબ :– તમો અસરની ફર્ઝ નમાઝ પઢતા પહેલાં ચાર રકાત સુન્નત પઢી શકો છો. જ્યારે સૂર્ય આથમવા લાગે અને નિચલો કિનારો ડૂબવાનો શરૂ થાય ત્યારે અસરની નમાઝ કઝા થાય છે. જો સૂર્ય ડૂબવાની (આથમવાની) શરૂઆતને થોડી મિનિટો વાર હોય તો અસરની નમાઝ અદા પઢવી જોઈએ, પરંતુ અસરની નમાઝ આટલી બધી મોડી પઢવી મકરૂહ છે. માટે એ સમયથી પહેલાં પઢી લેવી જોઈએ. (શામી : ૧)
Log in or Register to save this content for later.