Chapter : નમાઝ
(Page : 289)
સવાલ :– નમાઝના રુકૂઅમાં ગુઠણ ઉપર હાથ સીધેસીધા (વાળ્યા વગર) રાખીએ છીએ તો રુકૂઅમાં પીઠ અને કમર સરખા લેવલ પર રહેતી નથી માટે હાથને થોડોક વાળવાથી કમર અને પીઠ (જે રુકૂઅમાં સીધી કરવાનો હુકમ રાખે છે) સરખી રહે છે માટે હાથ વાળવા કેવા છે ?
જવાબ :– રુકૂઅમાં હાથો કમાનની રસ્સી જેવા સીધા રાખવા સુન્નત છે અને પીઠને સીધી કરવાની પણ તાકીદ છે અને હાથોને સીધા રાખવા એ પીઠને સીધી રાખવામાં અવરોધ રૂપ નથી.
(મઆ.સુનન –ભા.૩/૬ કરીબીઃ ૩૧પ)
Log in or Register to save this content for later.