Chapter : હજ
(Page : 91-92)
સવાલઃ– હમો રિયાદથી હમારા કામ માટે જિદ્દહ જવાના હતા. અમોએ રિયાદમાં વિચાર કર્યો કે આપણે આપણું કામ પતાવીને ઉમરહ કરીને આવીશું, હમો ત્યાં ગયા તો હમો તાઈફ થઈને જિદ્દહ ગયા, હમો એહરામની હદ પાસે થઈને ગયા હમોને આ વાતની ખબર ના રહી કે અહિંઆથી એહરામ બાંધવાનો, એટલે હમો હમારું કામ પતાવીને ઉમરહ કરવા માટે જવાના હતા ત્યાં જ હમોને એક સાલેહ માણસે વાત કરી કે તમારે દમ આપવો પડશે.
તો હમો દમ અહિંઆ આપીએ કે ઈન્ડિયા આપીએ તો ચાલે અને એક માણસને એક જાનવર આપવાનું કે બીજું કંઈ ? તે પણ લખી જણાવશો.
જવાબ :– જો તમો એહરામ બાંધવાની હદ પરથી ઉમરહની નિય્યતે પસાર થયા અને હદ પર પહોચીં એહરામ બાંધ્યા સિવાય પસાર થઈ ગયા અને તે પછી બીજી કોઈ એહરામ બાંધવાની હદ પરથી ઉમરહનો એહરામ બાંધી ઉમરહ કરી લીધો તો હવે દમ આપવો વાજિબ નથી, અને જો કોઈ મીકાત પરથી એહરામ નથી બાંધ્યો તો હવે દમ આપવો વાજિબ છે અને તે દમ મકકહ મુર્કરમહમાં જ આપવો જરૂરી છે. ઈન્ડિયામાં ન આપી શકાય. (શામી–ર/રરપ,રપ૦)
એક માણસને દમ પેટે કુરબાની લાયક એક નાનું જાનવર અથવા મોટા જાનવરનો સાતમો ભાગ આપવો જરૂરી છે.
Log in or Register to save this content for later.