Chapter : નિકાહ
(Page : 38-39)
સવાલઃ– અમારા ગામમાં એક છોકરીની શાદી થઈ તે વખતે મર્દ હાજર ન હોવાના કારણે છોકરીની રજા લેવા માટે ઓરત ગઈ અને ઓરતોને ગવાહી આપી કે તે રાજી છે, તો આ ગવાહી કબૂલ થશે? એક મવલાના ફરમાવે છે કે કબૂલ થશે અને બીજા કહે છે કે નહિ થાય, જો ગવાહી કબૂલ થતી હોય તો તેનું કારણ પણ લખશો.
જવાબ :– કોઈ છોકરીના નિકાહની રજા લેવા માટે ઓરત જાય અને તે વકીલ તરીકે રજા લઈ પોતે નિકાહની મજલિસમાં હાજર થઈ વકીલ તરીકે નિકાહના કોલ કરાર કરે તો એ પ્રમાણે ઓરતની વકાલતથી થયેલા નિકાહ પણ દુરસ્ત છે; કારણ કે નિકાહના વકીલ તરીકે મર્દનું જ હોવું જરૂરી નથી, પરંતુ ઓરતે નિકાહના વકીલ બનવું બેહતર નથી કારણ કે જયાં નિકાહની મજલિસ થાય છે ત્યાં સામાન્ય રીતે મર્દોની ભીડ હોય છે એટલે બે પરદગી થવાનો પુરો સંભવ છે. (આલમગીરીઃ– ૩)
જો ઓરતે વકીલ તરીકે છોકરી પાસેથી ઈજાઝત લીધી અને તે વકીલ તરીકે રજા લેનાર ઓરત પોતે નિકાહની મજલિસમાં હાજર નહીં થઈ, બલ્કે કોઈ મર્દને પોતે લીધેલી રજા મુજબ નિકાહ પઢાવવા કહી આપ્યું તો આ સૂરતમાં નિકાહ દુરસ્ત નહીં થાય. (આલમગીરી : ૧/ર૯૮, શામી –૪/૪૧૦)
હઝરત આઈશા (રદિ.) એ પોતાની ભત્રીજી અબ્દુર્રહમાન બિન અબૂ બક્રની છોકરીના નિકાહ હઝરત મુનઝિર બિન ઝુબૈર (રદિ.) સાથે પઢાવ્યા હતા. (બદાઈઅ : ર/ર૪૯)
Log in or Register to save this content for later.