[૮] નિકાહના વકીલ બીજાને પોતાના નાયબ નકકી કરે

Chapter : નિકાહ

(Page : 37-38)

સવાલ :–  એક છોકરીના નિકાહ માટે તેના બાપ વકીલ તરીકે નિયુકત થયા છે અને તેઓએ છોકરીથી નિકાહની ઈજાઝત લીધી છે, પરંતુ મય્યિતની તદફીનમાં જવાના કારણે બાપ નિકાહની મજલિસમાં જઈ શકતા નથી એટલે તેઓ છોકરીના કાકાને નાયબ વકીલ તરીકે નિકાહની મજલિસમાં મોકલે છે, તો આ પ્રમાણે છોકરીના કાકાને બાપના નાયબ વકીલ તરીકે મોકલવાથી અને કાકાએ નાયબ વકીલ તરીકે નિકાહ પઢાવવાથી છોકરીના નિકાહ થઈ જશે કે નહિ?

                છોકરીના કાકાએ નિકાહની મજલિસમાં જઈ છોકરીના નિકાહ પઢાવવા માટે નવેસરથી છોકરીની ઈજાઝત લેવી જરૂરી છે કે પછી બાપે વકીલ તરીકે લીધેલી ઈજાઝત પૂરતી છે અને કાકા છોકરીની ઈજાઝત લીધા વગર નાયબ વકીલ તરીકે નિકાહ પઢાવી શકે છે?

જવાબ :– બાલિગ છોકરીના બાપે વકીલ તરીકે છોકરીથી નિકાહની ઈજાઝત લીધા પછી છોકરીના કાકાને પોતાના નાયબ વકીલ તરીકે નકકી કરવા દુરસ્ત નથી અને કાકાએ નિકાહની મજલિસમાં હાજર થઈ ભત્રીજીના નિકાહ પઢાવવા માટે છોકરીના વાલિદે વકીલ તરીકે લીધેલી ઈજાઝત પૂરતી નથી, બલ્કે કાકાએ ભત્રીજીના નિકાહ પઢાવવા માટે નિકાહ પઢાવવાના વકીલ તરીકે ભત્રીજીથી પોતે ઈજાઝત લેવી જરૂરી છે, છોકરી તરફથી બાપે કાકાને નાયબ વકીલ તરીકે ઈજાઝત આપી દેવી દુરસ્ત નથી. જો કાકાએ છોકરીથી સીધી ઈજાઝત લીધા વિના નિકાહ પઢાવ્યા હશે તો તે નિકાહ છોકરીની મંજૂરી ઉપર નિર્ભર (મવકૂફ) ગણાશે. છોકરીએ તે નિકાહની મંજૂરી આપવાથી નિકાહ દુરસ્ત અને લાઝિમ ગણાશે.                                                                                                                (શામી–ર/ર૬૪,૩૦૦)

Log in or Register to save this content for later.