Chapter : નિકાહ
(Page : 34-35)
સવાલઃ– નિકાહનામા માં બે ગવાહો સામે અ.લતીફે ઝબાનથી નિકાહના કોલ – કરાર કર્યા વગર ફકત સહી કરી અને છોકરી ઝહીરા પાસે પણ તેજ ગવાહોની રૂબરૂ નિકાહનામામાં સહી કરાવી તો શું ફકત એક કાગળ ઉપર નિકાહનામુ હોય તો મુસ્લિમ શરીઅત મુજબ અને હનફી કાનૂન મુજબ પક્ષકારો વચ્ચે કાયદેસરની શાદી થઈ છે કે કેમ? અને છોકરો અને છોકરી પતિ પત્નીના સંબંધોથી ઈસ્લામિક શરીઅત મુજબ બંધાયા છે કે કેમ ?
જવાબઃ– સવાલમાં લખવા મુજબ જો ફકત નિકાહનામાનું લખાણ જ કરવામાં આવ્યુંં હોય અને પરસ્પર ઝહીરા અને અ.લતીફ વચ્ચે અથવા અ.લતીફ અને ઝહીરાના વકીલ કે વલી વચ્ચે ગવાહોને સાંભળતા મોઢેથી બોલીને નિકાહના કોલ કરાર (ઈજાબ અને કબૂલ) ન થયા હોય તો ઈસ્લામી શરીઅત મુજબ અ. લતીફ અને ઝહીરાના નિકાહ થયેલા ગણાશે નહીં અને તેઓ પતિ–પત્નીના સંબંધોથી બંધાયેલા કહેવાશે નહીં. (શામી : ર/ર૬પ)
Log in or Register to save this content for later.