[૩] નવા તોલમાપથી સોના–ચાંદીનો નિસાબ :–

Chapter : ઝકાત

(Page : 38-39)

સાહિંદો પાકના જમહૂર (મોટાભાગના) હઝરાતે મુફતિયાને ઈઝામ અને ઉલમાએ કિરામ એ બાબત સર્વ સંમત છે કે હિંદુસ્તાની જુના તોલમાપથી માલદારીનો ચાંદીનો નિસાબ સાડાબાવન (પર॥) તોલા છે અને સોનાનો નિસાબ સાડા સાત (૭॥) તોલા છે, ઝકાતના મસાઈલમાં નિસાબનું પ્રમાણ સામાન્ય રીતે આ જ પ્રચલિત છે…  (જવા.ફિકહ – ૧)

               વિશ્વાસપાત્ર હિસાબ મુજબ એક તોલો નવા વજનથી ૧૧ ગ્રામ અને ૬૬૪ મિલીગ્રામ વજન બરાબર બતાવવામાં આવ્યો છે અને આ હિસાબના આધારે હાલ પ્રચલિત દશાંશ (અંગ્રેજી) પધ્ધતિ મુજબ માલદારીનો ચાંદીનો નિસાબ ૬૧ર ગ્રામ અને ૩૬૦ મિલીગ્રામ બરાબર છે અને સોનાનો નિસાબ ૮૭ ગ્રામ અને ૪૮૦ મિલીગ્રામ બરાબર છે.

               એક માશા બરાબર ૯૭ર મિલીગ્રામ મુજબ સાડા બાવન તોલા અને સાડા સાત તોલાનો હિસાબ કરીએ તો પણ ચાંદી અને સોનાનો નિસાબ ઉપર મુજબ ૬૧ર ગ્રામ– ૩૬૦ મિલીગ્રામ અને ૮૭ ગ્રામ– ૪૮૦ મિલીગ્રામ જ થાય છે.

Log in or Register to save this content for later.