Chapter : નિકાહ
(Page : 33-34)
સવાલ :– સલામ બાદ જણાવવાનું કે આપના દારૂલ ઉલૂમમાંથી અમોને એક નકલ નિકાહ ખ્વાનીની મોકલી આપશોજી, એટલે કે કન્યા અને વરને કેવી રીતે મહર બારામાં પૂછપરછ કરવી અને કેવી રીતના કબૂલ કરાવવું?
જવાબ :– મોટા ભાગે જે નિકાહો પઢાવવામાં આવે છે, તે મોટી ઉમરના મર્દ – આોરતના જ હોય છે. એવી સૂરતમાં નિકાહની મજલિસમાં મર્દ પોતે હોય છે અને ઓરત તરફથી તેનો વલી કે વકીલ હોય છે અને ગવાહ તરીકે પણ અમુક વ્યકિતઓને નકકી કરી આપવામાં આવે છે. જો કે શરઈ દ્રષ્ટિએ તો નિકાહ વેળાએ મવજૂદ એ બધી જ વ્યકિતઓની ગવાહીથી નિકાહ થયેલો ગણાશે. જેઓએ નિકાહના ઈજાબ વ કબૂલ સાંભળ્યા છે, ઓરત તરફથી વલી હોય કે વકીલ હોય તેને નિકાહ થતા પહેલાં ઓરતની ઈજાઝત લેવી જરૂરી છે અને ઈજાઝત લેતી વખતે ગવાહોનું હોવું અફઝલ છે. વળી બેપરદગી ન થાય તેનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. ઈજાઝત લેનાર વલી કે વકીલ ઓરતથી આ પ્રમાણે પૂછશેઃ હું તમારા તરફથી વકીલ બની તમારા નિકાહ ફલાણા બિન ફલાણા માણસ સાથે આટલી મહેર રોકડે કે ઉધારમાં પઢાવવાની મંજૂરી માંગુ છું, જો તમે રાજી હોય તો મંજૂરી આપો, તે પછી ઈજાઝત લેનાર વલી હોય અને ઓરત ખામોશ રહેશે તો પણ ઈજાઝત થઈ જશે અને વલી સિવાય કોઈ બીજુ હોય અને તેઓને વલીએ મોકલ્યા હોય તો પણ ખામોશી ઈજાઝત ગણાશે અને જો વલીએ ન મોકલ્યા હોય તો ઓરત મોઢેથી બોલી ઈજાઝત આપશે તો જ મોઅતબર ગણાશે. જયારે આ પ્રમાણે ઈજાઝત મેળવીને વકીલ કે વલી નિકાહની મજલિસમાં પહોંચે ત્યારે નિકાહનો ખુત્બો પઢતા પહેલાં સૌ પ્રથમ નિકાહ પઢાવનાર પૂછપરછ કરી લે કે દુલ્હા કોણ અને શું નામ છે? વકીલ કે વલી કોણ ? એનું શું નામ છે? તમોએ ઈજાઝત લીધી છે અને ઓરતે આપી છે ? કેટલી મહેરમાં ઈજાઝત લીધી છે? અને ગવાહો કોણ છે? આ બધાઓ એક બીજાનું બોલવું સાંભળી શકે એ રીતે તેઓને નજદીક બેસવા કહેવામાં આવે. ત્યાર પછી જો પહેલો ખુત્બો પઢી લીધો છે તો હવે ઈજાબો–કબૂલ કરાવે અને જો ખુત્બો નથી પઢયો તો પહેલા ખુત્બો પઢી લે અને પછી ઈજાબો–કબૂલ કરાવે, પહેલા વલી કે વકીલથી આ પ્રમાણે પૂછપરછ કરી મંજૂરી મેળવે કે ”આપને અપની વકાલત સે (જો વકીલ હોય) અથવા આપને અપની વિલાયત સે (જો વલી હોય) ઈન ગવાહોં ઓર હાજિરીને મજલિસ કે સામને ફુલાની (ઓરતનું નામ બાપ સાથે) બિન્તે ફુલાં કો ઈતને મહેર કે ઈવજ નકદ ઉધાર (જે પ્રમાણે હોય) ફુલાં (મર્દનું નામ બાપ સાથે) બિન ફુલાં કે નિકાહ મેં ઓરત બના કર દિયા.” જયારે તે વલી કે વકીલ એમ કહી મંજૂરી આપી દે કે ”હાં, મેંને ઉન કો ફુલાં કે નિકાહમેં દિયા” તો દુલ્હાને સંબોધીને કહે કે ”ફુલાં (વકીલનું નામ લે) સાહેબને અપની વકાલત યા વિલાયત સે ઈન ગવાહો ઓર હાજિરીને મજલિસ કે સામને ફુલાંની (ઓરતનું નામ) કો ઈતની મહર (મહેરનું પ્રમાણ નકકી કર્યુ હોય તો તે બોલે) કે એવજ આપકે નિકાહમેં ઓરત બના કર દિયા, આપને ઉસે કુબૂલ કિયા” તો દુલ્હા એમ કહી મંજૂરી આપે કે ”હાં, મેંને કબૂલ કિયા” બસ આટલી વિધિથી નિકાહ સંપૂર્ણ થઈ ગયો, હવે નિકાહની મુબારક બાદીની દુઆ પઢી મજલિસે નિકાહ પૂરી થઈ જશે. (દુર્રે મુખ્તાર, શામી સાથે ર૯૯ – ૩૦૦ ભાગ – ર, શર્હે વિકાયહ : ર/૬)
Log in or Register to save this content for later.