[૧] ચાંદીના ભાવમાં વધઘટ મુજબ રોકડ રકમથી ઝકાતના નિસાબમાં વધઘટ થશે

Chapter : ઝકાત

(Page : 46-47)

સવાલ  :– દારૂલ ઉલૂમના પ્રકાશન વિભાગ તરફથી પ્રગટ થયેલી કિતાબ ”ઝકાતના ઝરૂરી મસાઈલ” માં કેટલી રકમ ઉપર કેટલી ઝકાત લાગુ પડે છે તેનો તૈયાર કોઠો આપવામાં આવ્યો છે, જેમાં ર૦૦૦ રૂપિયા ઉપર પ૦ રૂપિયા ઝકાત બતાવી છે. તો પૂછવાનું એટલું જ કે સદરહુ કોઠો કાયમ માટે કામ લાગશે કે પછી ભારતના રૂપિયાની કિંમત ઓછી વધતી થતાં તેમાં ફેરફાર થશે?

જવાબ  :– જે સમયે પોતાની પાસે જમા રકમ પર ઇસ્લામી વર્ષ પૂરું થાય  અને તેની ઝકાત અદા કરવામાં આવે તે સમયે ચાલતા ચાંદીના બજાર ભાવ મુજબ સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર અથવા તેથી વધુ પ્રમાણમાં રોકડ રકમ હોય અને પોતાની જમા રકમમાંથી દેવું બાદ કરતાં સાડા બાવન તોલા ચાંદીની કિંમતના પ્રમાણમાં રકમ બાકી પડે તો તે રકમ પર ઝકાત લાગુ પડશે. ઉપરની વિગત મુજબ ”ઝકાતના ઝરૂરી મસાઈલ” નામી કિતાબનો સદરહુ કોઠો કાયમી નહિ ગણાય અને સદરહુ કોઠાને ઉદાહરણ રૂપ સમજવામાં આવે. રોકડ રકમના ઝકાતપાત્ર પ્રમાણનો અસલ આધાર ચાંદીના ભાવ ઉપર છે અને ચાંદીના ભાવમાં વધઘટ થતી રહે છે તેમ રોકડ રકમના ઝકાતપાત્ર પ્રમાણ (નિસાબ)માં પણ વધઘટ થતી રહેશે, જો ચાંદી મોંઘી થાય તો રોકડ રકમના નિસાબનું પ્રમાણ વધશે અને જો સસ્તી થાય તો રોકડ રકમના નિસાબનું પ્રમાણ ઘટશે.   (શામી :ર/ રર/૩ર)

Log in or Register to save this content for later.