[૧૮૦] સજદએ તિલાવતનો મકરૂહ વખત

Chapter : નમાઝ

(Page : 220)

સવાલ :– કુરઆનનો સજદહ કયા સમયે ન કરવો જોઈએ ?

જવાબ :– સજદએ તિલાવત તુલૂએ આફતાબ, ઝવાલે આફતાબ અને ગુરૂબે આફતાબ વખતે ન કરવો જોઈએ, જો સજદહની આયતની તિલાવત આ વખતથી પહેલાં કરી હોય તો આ વખતે સજદહ કરવો મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે. અને જો આ મકરૂહ વખતમાં જ આયતે સજદહ તિલાવત કરી હોય તો તે વખતે સજદએ તિલાવત મકરૂહે તનઝીહી છે.                                              (શામી–૧/રપ૦)

                બાકી ફજરના વખતમાં ફજરની નમાઝથી પહેલાં અને પછી અને અસરની નમાઝ પછી (મકરૂહ વખત પહેલાં) સજદએ તિલાવત કરવો જાઈઝ છે.                                          (શામી – ૧/રપ૧)

Log in or Register to save this content for later.