Chapter : નમાઝ
(Page : 219)
સવાલ :– હરમ શરીફમાં ફજર અને અસરની નમાઝ પછી તવાફ કરવામાં આવે છે અને તવાફ પછી તવાફની બે રકઅત નમાઝ પઢવાની હોય છે તો ફજર અને અસરની નમાઝ પછી મકરૂહ વખતમાં તવાફની બે રકઅત નમાઝ પઢવી કે મકરૂહ વખત પૂરા થયા પછી પઢવી.
જવાબ :– અસર પછી અને ફજર પછી તવાફની બે રકઅતો પઢવી મકરૂહ છે. મજકૂર બે રકઅતો આફતાબ ઉંચે ચઢયા પછી અને મગ્રિબ પછી પઢવી જોઈએ. (‘શામી’–૧)
Log in or Register to save this content for later.