Chapter : નમાઝ
(Page : 215-216)
સવાલ :– અમારે ત્યાં જુમ્અહની નમાઝો બે વખતે પઢવામાં આવે છે. અમુક લોકો પહેલી જુમ્અહમાં હાજર થઈ શકતા નથી, કારણ કે તે સમયે તેમની ડ્યૂટી હોય છે, જેથી જુમ્અહની બે નમાઝો રાખવામાં આવે છે, પહેલી જુમ્અહ બાર ચાળીસે અને બીજી અઢી વાગ્યે થાય છે, પરંતુ એક આલિમ સા.નું કહેવું છે કે શવાફિઅ (રહ.)ના નજદીક એક મિસ્લ થવા પર ઝોહરનો સમય નીકળી અસરનો સમય શરૂ થાય છે, જેથી બીજી જુમ્અહ એક મિસ્લથી પહેલાં પઢવી જોઈએ, તો ઝવાલ પછી એક મિસ્લ કેટલા કલાકે થાય છે ? મજબૂરીના કારણે બીજી જુમ્અહ પઢી શકાય કે નહિં. જો કે બન્નેવ જુમ્અહ માટે જગા અલગ અલગ છે. શું એક મિસ્લ પૂરો થવા પહેલાં જ બીજી જુમ્અહ પઢવી જરૂરી છે કે એક મિસ્લ થવા પછી પણ પઢી શકાય? ઝવાલ પછી એક મિસ્લ થવાનું શું માપ છે ? અહિંયા સાત દસે સૂરજ ઉગે છે અને ચાર બેતાળીસે મગરિબની અઝાન થાય છે. હાલ ખાતે ૯॥ કલાકનો દિવસ છે. પોણા બાર વાગ્યે અડધો દિવસ થાય છે. એટલે ઝવાલ થતો હશે તો ઝવાલ પછી કેટલા કલાક સુધી બીજી જુમ્અહ પઢી શકાય ?
જવાબ :– (૧) એ વાત પોતાની જગાએ સ્પષ્ટ છે કે જુમ્અહનો સમય તે જ છે, જે ઝોહરનો સમય છે. અલબત્ત, ઝોહરની નમાઝની જેમ જુમ્અહની નમાઝને ગરમીની મોસમમાં મોડેથી પઢવી મુસ્તહબ નથી અને ઝોહરના સમય વિશે ફિકહની કિતાબોમાં એ પણ ચોખવટ છે કે ઈમામ અબૂ હનીફા (રહ.)ના મંતવ્ય મુજબ ઝવાલ પછીથી કોઈ પણ વસ્તુનો છાયડો બે મિસ્લ થવા સુધી રહે છે અને હઝરાતે સાહિબૈન (રહ.) અને અઈમ્મએ સલાસહ (રહ.)ના મંતવ્ય મુજબ એક મિસ્લ થવા સુધી રહે છે (એટલે એક મિસ્લથી પહેલાં પહેલાં પઢી લેવામાં આવે). હનફીઓને ત્યાં અમલમાં ઈમામ સા. (રહ.)ના મંતવ્યને અપનાવવામાં આવ્યું છે અને ફુકહાએ કિરામે તેને જ દલીલની દ્રષ્ટિએ અને નિયમોની દ્રષ્ટિએ અમલ માન્ય બતાવ્યું છે. એટલે હનફીઓ બે મિસ્લ છાયડો લાંબો થવા સુધી જુમ્અહની નમાઝ વિના સંકોચે પઢી શકે છે. બાકી અફઝલ એ છે કે ઝોહર જુમ્અહ એક મિસ્લથી પહેલાં પઢી લેવામાં આવે અને અસર બે મિસ્લ પછી પઢવામાં આવે. તાકે તમામ ઈમામોના મંતવ્ય મુજબ વિના વિવાદે નમાઝ અદા થઈ જાય. બાકી એક મિસ્લથી પહેલાં પઢવી જરૂરી નથી. એક મિસ્લ થવા ઉપર પણ પઢી શકાય છે. (શામી :૧/ર૪૦,ર૪પ)
(ર) આપને ત્યાં યુ. કે.માં ઝવાલ પછી એક મિસ્લ કેટલા સમયે થાય એ અહકર માટે બતાવવું મુશ્કેલ છે, કારણ કે તેનું માપ ત્યાંના સ્થાનિક ‘‘દાઈરએ હિન્દિય્યહ કિંવાં ધૂપ ઘડિયાળથી માલૂમ કરી શકાય કે પછી કોઈ સમય પત્રક તૈયાર કરનાર અનુભવી હિસાબની દ્રષ્ટિએ બતાવી શકે. હાં, અહિંયાની તકવીમો અને સૂર્યથી છાયાની વધઘટનો પ્રત્યક્ષ અનુભવ કરતાં એટલું કહી શકાય છે કે કોઈ પણ વસ્તુના છાયાને ઝવાલ પછી એક મિસ્લ થવામાં જેટલો સમય લાગે છે તેનાથી ઓછો સમય બીજી મિસ્લમાં લાગે છે એટલે પહેલી મિસ્લનો સમય કાઢવા ઝવાલથી બે મિસ્લના સમયને અડધો અડધો કરવો એ દુરુસ્ત નથી.
(૩) એક જ શહેરમાં એક જ સમયે કે આગળ પાછળ જુમ્અહનો સમય પૂરો થતાં પહેલાં પહેલાં એકથી વધુ જગ્યાઓએ પણ જુમ્અહ પઢી શકાય છે. (શામી : ૧/પ૪૧)
Log in or Register to save this content for later.