Chapter : નમાઝ
(Page : 214)
સવાલ :– મુસાફરીની હાલતમાં અસર અને ઈશાની નમાઝ હનફી મઝહબવાળા શાફઈ ટાઈમે પઢી શકે છે ?
જવાબ :– જો કોઈ અગવડ ન હોય તો મુસાફરીમાં પણ હનફી અમલ માન્ય તરીકા મુજબ જ અસર અને ઈશાની નમાઝ શાફઈ વખત કરતાં મોડી પઢવી જોઈએ, પરંતુ જો કોઈ અગવડ હોય જેમ કે જલ્દી ન પઢી લેવામાં આવે તો નમાઝ કઝા થઈ જવાનો ભય હોય તો આવી સૂરતમાં ઈમામ સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ શાફઈ વખત અનુસાર અસર–ઈશા પઢી શકાય છે. (શામી : ર૪૦, ભાગ–૧)
Log in or Register to save this content for later.