[૧૭૧] સફરમાં શાફઈ વખત મુજબ અસર–ઈશા પઢવી

Chapter : નમાઝ

(Page : 214)

સવાલ :– મુસાફરીની હાલતમાં અસર અને ઈશાની નમાઝ હનફી મઝહબવાળા શાફઈ ટાઈમે પઢી શકે છે ?

જવાબ :– જો કોઈ અગવડ ન હોય તો મુસાફરીમાં પણ હનફી અમલ માન્ય તરીકા મુજબ જ અસર અને ઈશાની નમાઝ શાફઈ વખત કરતાં મોડી પઢવી જોઈએ, પરંતુ જો કોઈ અગવડ હોય જેમ કે જલ્દી ન પઢી લેવામાં આવે તો નમાઝ કઝા થઈ જવાનો ભય હોય તો આવી સૂરતમાં  ઈમામ સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ શાફઈ વખત અનુસાર અસર–ઈશા પઢી શકાય છે.               (શામી : ર૪૦, ભાગ–૧)

Log in or Register to save this content for later.