Chapter : નમાઝ
(Page : 214)
સવાલ : ફજરની નમાઝ બાદ જે મકરૂહ ટાઈમ છે તે ખરેખર કેટલી મીનીટનો ગણવો, તબ્લીગી નિસાબમાં ર૦ મીનીટ બતાવવામાં આવ્યો છે, જ્યારે અમુક મસ્જિદોમાં તુલૂએ આફતાબ પછી ૧ર મીનીટ અથવા ૧પ મીનીટ પછી ઈશ્રાકની નમાઝ પઢવામાં આવે છે તો ખરેખર મકરૂહ સમય કેટલી મીનીટનો ગણવો ? તુલૂએ આફતાબની કેટલી મીનીટ પછી નફલ અથવા તો ફજરની નમાઝ પઢવી ?
જવાબ :– તુલૂએ આફતાબ એટલે આફતાબના સંપૂર્ણ નીકળી ગયા પછી જ્યાં સુધી એક ભાલાના પ્રમાણમાં આફતાબ મતલઅથી એટલે કે ક્ષિતિજના કિનારાથી ઉંચે ન ચઢી જાય ત્યાં સુધી કોઈપણ નમાઝ પઢવી જાઈઝ નથી, જ્યારે આફતાબ પૂરો ઉગીને કિનારાથી એક ભાલાના પ્રમાણમાં ઉંચો થઈ જાય ત્યારે કઝા નમાઝ તથા ઈશ્રાકની નમાઝ પઢી શકાય છે. તુલૂએ આફતાબ પછી ૧ર મીનીટ–૧પ મીનીટ–ર૦ મીનીટ પછી નમાઝ પઢવાનું બતાવવામાં આવ્યું છે તે એક અંદાઝો છે, કારણ કે એટલા સમયમાં આફતાબ લગભગ એક ભાલાની ઉંચાઈએ થઈ જાય છે. (શામી : ર૪૮, ભાગ–૧)
Log in or Register to save this content for later.