[૧ર] વકીલનું મહરમ હોવું

Chapter : નિકાહ

(Page : 41-42)

સવાલ :– ૪૦ વર્ષની મુસ્લિમ પરણિત ઓરતને ૪૪ વર્ષના મુસ્લિમ પરણિત મર્દે ફોસલાવી પટાવી, લોભ લાલચ આપી નાજાઈઝ સંબંધો બાંધેલા અને મૌકો મળેથી શારિરીક સુખ પણ ભોગવતાં હતાં અને એક દિવસ ઓરતના શવહરે રંગે હાથે રાતના બન્‍નેને શવહરના મકાનમાં ઝડપી પાડેલા અને ત્યાર બાદ શોહરે તેણીને તલાક આપી દીધેલી, તે પછી તેણીએ તાજેતરમાં જે પુરુષ સાથે નાજાઈઝ સંબંધો હતા તેની સાથે એક મકાનમાં નિકાહ કરી લીધેલા છે, તેણીના નિકાહમાં વકીલ તરીકે કોઈ જ મહરમ હાજર ન હતા, નામહરમ પુરુષ કદાચ તેના વકીલ થયેલા છે, આ નિકાહમાં વકીલ તરીકે મહરમ હાજર ન હોવાથી નામહરમે વકીલની ભૂમિકા અદા કરેલી છે, તેણીના મહરમ માંથી કોઈ હાજર ન હોવાનું કારણ એ છે કે વ્યાભિચારી પુરુષ સાથે ફરીથી આ ઓરત નિકાહ કરે તે તેઓને માન્ય ન હતું, તો શું આવા સંજોગોમાં આ નિકાહ શરઈ દ્રષ્ટિએ જાઈઝ છે કે ના જાઈઝ ? વિગતે જણાવશો અને શરઈ દ્રષ્ટિએ બીજો કોઈ બાધ હોય તો તે પણ જણાવશો.

જવાબઃ– ઓરત તરફથી કોઈ ગેર મહરમ વકીલ નિકાહ પઢાવે તો પણ નિકાહ સહીહ અને જાઈઝ થઈ જાય છે, અલબત્ત, તલાક પછી ઓરતની ઈદ્દત પૂરી થયેલી હોવી જોઈએ અને નિકાહની મજલિસમાં એક મુસલમાન મર્દ અને બે ઓરતો અથવા બે મુસલમાન બાલિગ મર્દો શાહિદ તરીકે ,મવજૂદ હોવા જોઈએ, જો નિકાહના ઈજાબ – કબૂલ વખતે કોઈ ગવાહો ન હોય તો નિકાહ સહીહ અને જાઈઝ ગણાતા નથી અને ઓરતે તલાકની ઈદ્દત પૂરી થતાં પહેલાં નિકાહ કર્યા હોય તો પણ નિકાહ સહીહ અને જાઈઝ થતા નથી.  (શામીઃ ભા.ર)

Log in or Register to save this content for later.