[ર૧] બાલિગ વારિસ પર તરત હજ કરવું જરૂરી છે

Chapter : હજ

(Page : 62-63)

સવાલ :– મારી છોકરી ૧૭ વર્ષની છે અને છોકરો ૧૪ વર્ષનો છે, મારા શોહરના મરણ થઈ જવાથી બન્‍ન ઉપર વારસાઈ લાગી ગઈ માટે હજ ફર્ઝ થઈ ગઈ છે. મારો છોકરો થોડા દિવસે ઈ.અ. બાલિગ થઈ જશે પણ એનામાં હજુ હજમાં જવાની હજની કોઈ જ હોશિયારી નથી, માટે હજમાં મોકલાય કે કેમ? થોડા વર્ષ રાહ જોવાય કે કેમ? હજુ પૂરી નમાઝનો પણ પાબંદ નથી.

 જવાબ :– છોકરો બાલિગ થયા પછી તેની માલિકીમાં હજ ફર્ઝ થવા પાત્ર માલ મિલકત હશે તો તેના ઉપર હજ ફર્ઝ થઈ જશે અને હજ ફર્ઝ થયા પછી તુરત અદા કરવી જોઈએ. હજના જરૂરી મસાઈલ શીખવા સમજવા માટે ઘણી લાંબી મુદ્દત જરૂરી નથી થોડા મહિનાઓમાં પણ શીખી શકાય છે. (શામી ભા.ર)

Log in or Register to save this content for later.