[પ] બાપે પઢાવેલા નાબાલિગ અવલાદના નિકાહ લાઝિમ થઈ જાય છે

Chapter : નિકાહ

(Page : 35-36)

સવાલ :– નાબાલિગ છોકરા છોકરીના નિકાહ નાની ઉમરમાં તેના માતા–પિતાએ કરાવી આપ્યા હતા. છોકરી સમજણી થઈ તો તેના પિતાએ જાણ કરી કે તારા નિકાહ ફલાણા છોકરા સાથે કરી આપ્યા છે. છોકરીએ માતા–પિતાની વાત માન્ય ન રાખી અને કહેવા લાગી કે મને મંજૂર નથી. બાલિગ થયા પછી ફરીવાર માતા – પિતાએ કહયું કે તારા નિકાહ ફલાણા છોકરા સાથે અમોએ કરી આપ્યા છે, પરંતુ છોકરી ના મંજૂર કરે છે તો આ વિશે શરીઅતનો શું હુકમ છે?

જવાબ :– પિતાએ કરેલા નાબાલિગ છોકરીના નિકાહ છોકરી ઉપર લાઝિમ થઈ જાય છે. બાલિગ થયા બાદ છોકરી પિતાએ કરેલા નિકાહને નામંજૂર કરે તો પણ તે નિકાહ રદ બાતલ થઈ શકતા નથી. સિવાય એ કે છોકરીનો શોહર બાલિગ હોવાની હાલતમાં તેને તલાક આપી દે અથવા ઓરત શોહરને ખુલઅની સૂરતમાં તલાક આપવા રાજી કરી તલાક હાસિલ કરે.                                                                                         (શામી–ર/૩૦૪)

Log in or Register to save this content for later.