Chapter : હજ
(Page : 48)
સવાલ :– માણસ સઉદીમાં હોય અને એના ઉપર કર્ઝ હોય તો એ માણસ નફલ હજ કરી શકે છે કે નહિ? તેમજ કર્ઝદાર માણસ મર્હૂમના નામની નફલ હજ કરી શકે છે કે નહિ? તેમજ કર્ઝદાર માણસ પાસે એટલી મિલકત હોય કે એને વેચીને એનું કર્ઝ અદા થઈ શકે એમ હોય અને વસિય્યત કરીને હજમાં જાય કે ખુદા ન કરે મારી વફાત થઈ જાય તો મારી મિલકત વેચીને મારું કર્ઝ આપવું, તો આ પ્રમાણે ચાલશે કે નહિ, તેમજ કર્ઝદાર માણસની આવક એટલી હોય કે કર્ઝ અદા થઈ જશે તો એ માણસ હજમાં જઈ શકે છે કે નહિ?
જવાબ :– મજકૂર માણસે પહેલાં પોતાની ફર્ઝ હજ પઢવી જોઈએ જો કે પહેલાં નફલ હજ પઢશે તો તે અદા તો થઈ જશે પરંતુ એહતિયાત એ જ છે કે પ્રથમ ફર્ઝ હજ પઢી લે કારણકે ફર્ઝની અદાયગીમાં તાખીર કરવી ગુનાહનું કામ છે.(ઝુ.મનાસિક–૧/૩ર)
કર્ઝદાર માણસે જો તેના ઉપર હજ ફર્ઝ હોય તો પોતાની ફર્ઝ હજ પ્રથમ અદા કરવી જરૂરી છે અને જો તેના ઉપર હજ ફર્ઝ ન હોય તો પણ પોતાની ફર્ઝ હજની નિય્યતથી એહરામ બાંધવું જરૂરી છે. કારણ કે જો નફલ હજ માટે જશે તો તેના ઉપર આવતા વર્ષ માટે હજ ફર્ઝ થઈ જશે અને આવતા વર્ષે પોતાની ફર્ઝ હજ પઢવી તેના ઉપર લાઝિમ થઈ જશે. (ઝુ.મનાસિક – ૧/૧૪)
મજકૂર કર્ઝદાર માણસ ઉપર હજ ફર્ઝ હોય કે ન હોય તે હજ માટે જઈ શકે છે. પરંતુ તેણે ફર્ઝની નિય્યતથી એહરામ બાંધવો જોઈએ.
Log in or Register to save this content for later.