[૧] મિલકતના માલિક માટે હજનો નિસાબ

Chapter : હજ

(Page : 45)

સવાલઃ– એક માણસને હજ પઢવી છે અને તેના ઉપર કર્ઝ છે અને તેની પાસે જાયદાદ કર્ઝ કરતાં વધારે છે તો તે હજ કરી શકે છે ? કર્ઝ કેટલું હોય તો હજ કરી શકે ? તેની પાસે મકાન કર્ઝ કરતાં વધારે કિંમતનું છે.

જવાબઃ– રહેવાનું મકાન –પોતાના આર્થિક નિભાવ માટેની ખેતીની જમીન જેનાથી ફકત વાર્ષિક જરૂરતો પૂરી થાય છે, હજના નિસાબમાં દાખલ નથી. જો જરૂરતથી વધારે આવક વાળી જમીન હોય, રહેવાના ઘર ઉપરાંત બીજા ઘરો કે ગભાણ હોય, અને રોકડ રકમ હોય તો આવી જરૂરત ઉપરાંતની જાયદાદ હજના નિસાબમાં ગણાય છે. જયારે આવી જરૂરતથી ફાઝલ મિલકત એટલી હોય કે કર્ઝ બાદ કરતાં હજના શરઈ જરૂરી ખર્ચના પ્રમાણમાં રકમ કે વધારાની મિલ્કત બાકી રહે તો હજ ફર્ઝ છે. નહિ તો ફર્ઝ નથી, અગર નફલની નિય્યત વગર ફકત હજની નિય્યતથી હજ કરશો તો પણ ફર્ઝ હજ અદા થઈ જશે. (શામી–ર/૧૪૩, ઈ.ફતાવા– ર/૧૬૮)

Log in or Register to save this content for later.