[૧] મસ્જિદમાં નિકાહ પઢવા અફઝલ છે

Chapter : નિકાહ

(Page : 31)

સવાલ :–  અમારી બિરાદરીમાં શાદી વખતે ઘણી નાજાઈઝ પ્રવૃતિઓ થતી હોય, તેના ઈલાજ રૂપે અમારી કમિટિએ નિકાહ મસ્જિદમાં થાય તેવી કોશિષ કરી અને તે મરજીયાત જ રાખવામાં આવેલ. અને સમજદાર લોકોએ તે મુજબ અમલ પણ કર્યો અને મસ્જિદમાં નિકાહ ખ્વાની થઈ, પરંતુ કેટલાક ભાઈઓ કહે છે કે મસ્જિદની બેઅદબી થાય છે અને તેઓના આ કથનથી અમારા પ્રયત્નો પર અસર થઈ છે. હું આપને અત્રે એ પણ જણાવી દઉં કે નિકાહ ખ્વાની મસ્જિદના અંદરના ભાગમાં નહિ બલ્કે મસ્જિદની બહારની સહનમાં કરવામાં આવતી હતી.

                આજના ફિત્ના ફસાદના ઝમાનામાં જો મસ્જિદના સહનમાં નિકાહ ખ્વાની થાય અને તે મરજીયાત જ રાખવામાં આવે તો દીનના રૂએ કયાં સુધી વ્યાજબી છે?

જવાબ :– નિકાહ ખ્વાની મસ્જિદમાં કરવી મુસ્તહબ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે તમો આ નિકાહનું એલાન કરો અને તેને મસ્જિદોમાં કરો. (મિશ્કાત શરીફ–ર૭ર) જો મસ્જિદની બેઅદબી જેવા કામો થતા હોય તો તે કામો અટકાવવા જોઈએ. મસ્જિદમાં થતા મુસ્તહબ નિકાહને ન અટકાવવો જોઈએ. મસ્જિદમાં નિકાહ કરવાનો ઈસ્તિહબાબ તો ઉપરોકત હદીષ મુજબ શરીઅતમાં ઈચ્છનીય અને પ્રશંસનીય છે અને બેઅદબીના જે કામો મસ્જિદમાં ન કરવા જોઈએ તે મસ્જિદના સહનમાં પણ ન કરવા જોઈએ.         (દુ.મુખ્તાર, શામી–ર/ર૬ર, મુન્યતુસ્સાજિદ–રપ)

Log in or Register to save this content for later.