[૧૬૬] અસરની નમાઝ એક મિસ્લ પછી પઢવી

Chapter : નમાઝ

(Page : 211)

સવાલ :– સઊદી અરબ ખાતે અસરની નમાઝ ૩॥ વાગ્યે થાય છે તો હવે હનફી મઝહબવાળો માણસ જમાઅત સાથે નમાઝ પઢશે તો તે નમાઝ થઈ જ જશે, પરંતુ આ ૩॥ વાગ્યાના ટાઈમે જમાઅત વગર ફક્ત એકલો જ હનફી માણસ અસરની નમાઝ પઢે છે તો તેની નમાઝ અદા થશે કે નહિં ?

જવાબ :– ઝવાલે આફતાબ પછી કોઈ વસ્તુનો પડછાયો તે વસ્તુના ઝવાલના પડછાયા ઉપરાંત તે વસ્તુના બરાબર લાંબો થઈ જાય તો ઈમામ સાહિબૈન (રહ.) અને બીજા ત્રણ મુજતહિદ ઈમામો (રહ.)ના મત મુજબ અસરની નમાઝ દુરુસ્ત તો થઈ જશે, પરંતુ હનફી માણસ માટે એહતિયાતની વાત એ છે કે તે વસ્તુનો બે ઘણો પડછાયો થાય ત્યારે અસરની નમાઝ પઢે.                          (ફતાવા રશીદિય્યહ : રપર)

Log in or Register to save this content for later.