[૧૬૩] રમઝાનમાં ફજર જલ્દી પઢવી મુસ્તહબ છે

Chapter : નમાઝ

(Page : 202-203-204-205-206-207)

સવાલ :– ફજરની નમાઝનો મુસ્તહબ વખત કયારે છે ? જો સુબ્હે સાદિક થયા પછી મોડેથી જમાઅત કરવી મુસ્તહબ હોય તો શું રમઝાનુલ મુબારકમાં પણ એ જ પ્રમાણે મોડું કરી જમાઅત કરવી મુસ્તહબ છે ? હાલાંકે મોડી જમાઅત કરવામાં લોકોની જમાઅત છૂટે છે, બલકે ઘણાંની નમાઝ કઝા થઈ જાય છે. કારણ કે સહરીથી ફારિગ થયા પછીથી ફજરની જમાઅત થતાં સુધીનો વખત ઘણો લાંબો હોવાથી મોટા ભાગના લોકોને સહરી બાદ સૂઈ જવાની આદત હોય છે અને પરિણામે જમાઅત કે નમાઝ છૂટી જાય છે. શું આવી સૂરતમાં ખાસ રમઝાનુલ મુબારકમાં સુબ્હે સાદિક થયા પછી તુરત દસ કે પંદર મીનીટે ફજરની જમાઅત કરી લેવી જાઈઝ છે કે નહિ ?

 જવાબ :– ફજરનો મુસ્તહબ વખત સામાન્ય સંજોગોમાં હનફી મઝહબ પ્રમાણે તો એ જ છે કે જયારે બરાબર અજવાળું થઈ જાય ત્યારે જમાઅત શરૂ કરી ખતમ કરવામાં આવે, પરંતુ તુલૂએ આફતાબથી એટલા પહેલાં નમાઝ શરૂ કરી ફારિગ થઈ જવું જોઈએ કે અગર કોઈ કારણથી નમાઝ દોહરાવવી પડે તો પાકી હાસિલ કરી સુન્નત કિરાઅત પઢી દોહરાવી શકાય, એટલે કે તુલૂએ આફતાબના સમયથી લગભગ ૩૦ થી ૩પ મીનીટ પહેલાં શરૂ કરવામાં આવે.   (‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/ર૪પ)

                પરંતુ માહે રમઝાનમાં જો સહરીથી ફારિગ થયા પછી લોકોની સૂઈ જવાની આદતના કારણે જમાઅત છૂટી જવાનો અથવા નમાઝ કઝા થઈ જવાનો ભય હોય જેમ કે મોટા ભાગે એમ જ બને છે તો આવી સૂરતમાં હંમેશાના મુસ્તહબ વખતથી વહેલી પઢી લેવામાં કંઈ વાંધો નથી બલ્કે બેહતર અને અફઝલ છે.

                અમુક હદીસોમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સહરી મોડી કરવી અને ફજર જલ્દી પઢવી સાબિત છે.

                બુખારી શરીફમાં હઝરત અનસ (રદિ.)થી રિવાયત છે કે, હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અને ઝૈદ બિન સાબિત (રદિ.)એ સહરીનું ખાવા ખાધું પછી જ્યારે સહરીના ખાવાથી અથવા વખતથી ફારિગ થઈ ગયા તો નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) (ફજરની) નમાઝ માટે ઉભા થયા અને નમાઝ પઢી (હઝરત કતાદહ રદિ. કહે છે કે) હમોએ હઝરત અનસ (રદિ.)થી પૂછયું કે સહરીથી તેઓની ફરાગત અને તેઓના નમાઝ શરૂ કરવા દરમ્યાન કેટલું અંતર હતું. હઝરત અનસે જવાબ આપ્યો કે કોઈ માણસના કુર્આન શરીફની પચાસ (દરમયાની) આયતોની તિલાવતના સમયના પ્રમાણમાં અંતર હતું.

  શૈખ અબ્દુલ હક દહેલ્વી (રહ.) આ હદીસની નિસ્બતથી લખે છે કે,

વ અઝીંજા ચુનાં કે તાખીરે સુહૂર મઅલૂમ

મી ગર્દદ તઅ્‌જીલે ફજર નીઝ મફહૂમ મી શવદ

કે જેવી રીતે આ હદીસથી સહરી મોડી કરવી માલૂમ પડે છે તેવી જ રીતે ફજરની નમાઝ જલ્દી પઢી લેવી પણ સમજાય છે. જો કે સામાન્ય લોકો માટે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની જેમ બિલકુલ આખરી સમયે સહરી કરવી (કોઈ શકય કારણસર વખતમાં શંકાના લઈ) દુશ્વાર છે. માટે આખરી સમયથી થોડા પહેલાં ફારિગ થઈ જવું મુનાસિબ છે.        (‘અશિઅ્‌અતુલ્લમઆત ૧/ર૯૪)

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ફજર અજવાળામાં પઢવાનો હુકમ આપી તેનું કારણ પણ ફરમાવી આપ્યું કે તેવું કરવાથી મોટી સંખ્યામાં લોકો જમાઅતમાં શરીક થઈ શકે છે અને ઓરતો માટે હનફી ફિકહમાં પણ ફજરની નમાઝ હંમેશા અંધારામાં (શરૂ વખતમાં) પઢવી મુસ્તહબ છે. કારણ કે તેઓની નમાઝમાં જમાઅત ન હોવાથી જલદી પઢી લેવામાં સંખ્યાની વધઘટ પર કોઈ અસર ન થવાના કારણે અજવાળામાં પઢવી મુસ્તહબ નથી.

                ‘શર્હુસ્સુન્નહ’માં હઝરત મુઆઝ (રદિયલ્લાહુ અન્હુ)થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) મને યમન મોકલ્યો અને ફરમાવ્યું કે જયારે શિયાળો હોય તો ફજરની નમાઝ અંધારામાં પઢાવો અને લોકોની સહન શકિત મુજબ (સુન્નત) કિરાઅત લંબાવો અને તેઓને બદદિલ ન કરો અને જયારે ઉનાળો હોય તો    અજવાળામાં ફજર પઢાવો. કારણ કે રાત ટૂંકી હોય છે અને લોકો સુતેલા હોય છે માટે તેઓને મોહલત આપો કે જેથી તેઓ જમાઅત પામી શકે.  (‘મિર્કાત ર/૧૩૯)

                શૈખ દહેલ્વી (રહમતુલ્લાહિ અલયહ) લખે છે :

દર ઈસ્ફાર તકસીરે જમાઅત અસ્ત વ બેશક તકસીરે જમાઅત અફઝલસ્ત–વ તકલીલે જમાઅત અમ્‌રે મકરૂહસ્ત વ અંદાખ્તને મર્દુમ દર મશક્‌કત નીઝ મકરૂહસ્ત

અર્થ : અજવાળામાં ફજર પઢવામાં જમાઅત મોટી થાય છે અને મોટી જમાઅત કરવી વિના શંકાએ અફઝલ છે – અને જમાઅત નાની કરવી મકરૂહ છે અને લોકોને તકલીફમાં સંડોવવા પણ મકરૂહ છે. (‘અશિઅ્‌અહ ૧/ર૯૮)

નમાઝની જમાઅત જેમ મોટી હોય તેમ અલ્લાહ તઆલાને વધુ પસંદ છે અને વધારે સવાબવાળી છે.

                અબૂ દાવુદ અને નસાઈ શરીફમાં હઝરત ઉબય બિન કઅબ (રદિ.)ની રિવાયતમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છેઃ

 કોઈ માણસની બીજા નમાઝી સાથેની બા જમાઅત  નમાઝ એકલી જાતે પઢાતી નમાઝથી વધુ સવાબવાળી અને અફઝલ છે અને બે નમાઝીઓ સાથે બા જમાઅત નમાઝ એક નમાઝી સાથેની બા જમાઅત નમાઝથી અફઝલ છે અને જે બા જમાઅત નમાઝમાં નમાઝીઓની જેટલી વધુ સંખ્યા હોય તે નમાઝ અલ્લાહ તઆલાને તેટલી જ વધુ મહબૂબ છે.

   (‘મિરકાત ૩/પ૯)

                હદીસમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી એ પણ સાબિત છે કે આપ કોઈ નમાઝની જમાઅતને વહેલી મોડી કરવામાં નમાઝીઓની સંખ્યાનો પણ ખયાલ ફરમાવતા હતા.

                બુખારી અને મુસ્લિમ શરીફની રિવાયતમાં હઝરત જાબિર (રદિ.)થી નકલ છે કે જયારે સહાબા (રદિ.) મોટી સંખ્યામાં હાજર હોતા તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઈશાની નમાઝ જલ્દી પઢાવતા હતા અને જયારે તેઓ થોડી સંખ્યામાં હાજર હોતા તો મોડું કરી નમાઝ પઢાવતા હતા અને ફજરની નમાઝ અંધારામાં પઢાવતા હતા.

   શૈખ દહેલ્વી (રહ.) આ હદીસ પર લખે છે :

વ અઝીંજા મઅલૂમ શુદ કે બકસ્દે તક્‌સીરે જમાઅત

તાખીર અઝ અવ્વલ વકત જાઈઝ બલ્કે મુસ્તહબ્બસ્ત

અને આ હદીસથી જણાયું કે જમાઅતમાં નમાઝીઓની સંખ્યા વધુ થવાના હેતુથી જમાઅતને નમાઝના શરૂ સમયથી મોડી કરવી જાઈઝ બલ્કે મુસ્તહબ છે.

આગળ ફજર અંધારામાં પઢવા વિશે લખે છે :

વ ઝાહિરસ્ત કે ઈં બજિહતે હુઝૂરે જમાઅતે કસીર બૂદ

અને જાહેર છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું  ફજરની નમાઝ અંધારામાં પઢાવવું આ કારણથી હતું કે સહાબાની જમાઅત મોટી સંખ્યામાં તે વખતે હાજર રહેતી હતી.  (‘અશિઅ્‌અહ ૧/ર૯૦)

                એ હકીકત પણ જાહેર છે કે જો વર્ષના બીજા મહિનાઓની જેમ રમઝાનમાં પણ મુસ્તહબ પર અમલ કરવાની નિય્યતથી ફજરની જમાઅત અજવાળામાં (સુબ્હે સાદિક થયા પછી મોડેથી) પઢવામાં આવશે તો તરાવીહના લઈ શરૂ રાતની બેદારી અને સહરીના લઈ આખરી રાતની બેદારીના કારણે સહરી બાદ સૂઈ જવાથી ઉંઘનો એવો ગલબો રહેશે કે મોટા ભાગના નમાઝીઓની જમાઅત બલ્કે નમાઝ જ છૂટી જશે અને જમાઅત બિલકુલ નાની થશે, જે મકરૂહ છે અને જો સહરી મોડી કરી (જેમકે મુસ્તહબ પણ એ જ છે) ફજરની નમાઝ શરૂ સમયમાં જલ્દી પઢી લેવામાં આવશે તો નમાઝીઓ મોટી સંખ્યામાં આસાનીથી હાજર થઈ શકશે.

                માટે ઉપરોકત વિગત મુજબ કે મોટી જમાઅત વધુ સવાબના પાત્ર અને અફઝલ છે અને અન્ય દિવસોમાં અજવાળામાં ફજર મોટી જમાઅત થવાના કારણે અફઝલ છે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જમાઅત વહેલી મોડી કરવામાં નમાઝીઓની સંખ્યાનો ખયાલ ફરમાવતા હતા. રમઝાનુલ મુબારકમાં અફઝલ અને મુસ્તહબ એ જ છે કે ફજરની નમાઝ જલદી પઢવામાં આવે.

                હદીસ અને ફિકહની કિતાબોથી એ હુકમ પણ સાબિત છે કે, જો મુસ્તહબને અપનાવવાથી વાજિબ કે ફર્ઝ છૂટવાનો ખરેખર ભય હોય અને છૂટતા હોય તો મુસ્તહબને છોડી વાજિબ અને ફર્ઝ અદા કરવામાં આવે અને મુસ્તહબ પર એટલો આગ્રહ પણ જાઈઝ નથી કે જેથી તે વાજિબ ફર્ઝના દરજે પહોંચી જાય.  (‘મિરકાત ર/૩પ૩)

                ફજરની જમાઅત સુબ્હે સાદિક પછી તુરંત કરવાથી એક ફાયદો એ પણ થશે કે લોકો સહરી મોડી કરશે તાકે રાત્રે ઉઠીને સહરી અને ફજર બંનેથી એક સાથે ફારિગ થઈ શકાય અને રાતના આખરી ભાગમાં સહરી કરવી મુસ્તહબ છે.             (‘દુર્રે મુખ્તાર, ‘શામી ર/૧૧૪)

                મજકૂર સૂરતમાં ફજર જલદી પઢવાના બેહતર અને અફઝલ હોવામાં ન કોઈ હદીસથી ઈખ્તિલાફ સાબિત છે, ન કોઈ આલિમ અને મુફતીનો મતભેદ છે અને બુઝુર્ગાને દીનનો અમલ દીની મરકઝોમાં (જેમકે નિઝામુદ્દીન, દેવબંદ, સહારનપુર વગેરેમાં) ફજર જલદી પઢવાનો જ છે અને સંખ્યાબંધ શહેરો અને ગામોમાં પણ એ જ મામૂલ છે.

મૌલાના મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.) લખે છે કે,

બઅ્‌ઝ અહાદીસસે રમઝાનુલ મુબારકમેં ફજરકી નમાઝ હમેશાકે મઅમૂલસે કીસી કદર પહેલે પળ્હના મફહૂમ હોતા હે. ઈસ લિયે ઈસકી ગુંજાઈશ હે કે રમઝાનુલ મુબારકમેં નમાઝે ફજર ઝરા જલ્દી પળ્હ લી જાએ. લેકિન તુલએ સુબ્હે સાદિકસે પહેલે નમાઝ જાઈઝ નહિં. સુબ્હે સાદિક પોને છે બજે કે ભી કુછ બાદ (આજકલ) હોતી હે. ઈસ લિયે નમાઝ છે બજે શુરૂઅ કર દી જાએ તો મુઝાઅકહ નહિં.  (‘કિ. મુફતી ૩/ર૯)

મુફતી અઝીઝુર્રહમાન સાહેબ (રહ.) લખે છે કે, કુછ હરજ નહીં હે.  (‘ફતાવા દારુલ ઉલૂમ ર/૪પ)

મુફતી સય્યિદ અબ્દુર્રહીમ સાહેબ (દા.બ.) લખે છે,

રમઝાનમેં મજકૂરા ઈલ્લતકી વજહસે નમાઝે ફજર હમેશાકે વકતસે જલ્દ પળ્હ લી જાએ તો કોઈ હરજ નહિં બલ્કે અવ્લા (બેહતર) હે, સબ લોગ શિર્કત ફરમા સકેંગે ઓર જમાઅત બડી હોગી.  (‘ફતાવા રહીમિય્યહ ૧/૧૩ર)

  મૌલાના આશિક ઈલાહી બુલંદ શહરી સાહેબ લખે છે કે,

ફિર હનફિય્યહ ઈસ્ફારકો ફર્ઝ વાજિબ નહીં કહતે. એક ઈસ્તિહબાબ પર અમલ કરને કી સૂરતમેં અગર બિલકુલ હી ફર્ઝ છૂટ જાનેકા અંદેશા હો ઓર ગેર મુસ્તહબ વકતમેં નમાઝે ફજર પળ્હ લેનેસે અકસર લોગોંકો ન સિર્ફ જમાઅત બલ્કે નમાઝ મિલ જાતી હો ઓર સહરી ખા કર સો જાનેસે નમાઝ ચલે જાનેકા ન સિર્ફ શદીદ ખતરા હો બલ્કે અકસર કી નમાઝેં કઝા હો જાતી હોં (જૈસા કે ઉન જગ્હોં મેં દેખા જાતા હે જહાં સહરી ખા કર સો જાતે હેં) તો ઉસ સૂરતમેં તરકે મુસ્તહબ પર અમલ કરના હી બેહતર હે. ખુસૂસન જબકે અહાદીસમેં ગલસ (અંધેરે)મેં પળ્હના ભી મિલતા હો ઓર અઈમ્મએ અરબઅહમેંસે હનફિય્યહ કે અલાવા દિગર અઈમ્મહકા મઝહબ ભી હો તો ઉસકો ઈખ્તિયાર કરનેમેં કોઈ કબાહત નહીં હે. હનફી મઝહબ કી ઈતની પચ કે ખિલાફે મઝહબ ગેર અવ્લા મંઝૂર હો ખ્વાહ નમાઝ બિલકુલ ચલી જાએ યે મઝહબકી હયસિય્યત ન સમજને કી વજહસે હે.  (‘અલ બલાગ ઉર્દૂ માસિક, કરાંચી, ૧૯૬૮)

   મૌલાના મુફતી મહમૂદ હસન ગંગોહી સાહેબ (દા.બ.) લખે છે કે,

રમઝાનુલ મુબારકમેં સહરી કે બાદ અવ્વલ વકત ફજરકી નમાઝ કે લિયે અગર નમાઝી જમા હો જાતે હેં ઓર રોઝાનાકે વકતે મઅમૂલ તક તાખીર હોને સે જમાઅત છૂટને યા નમાઝ કઝા હો જાનેકા અંદેશા હે તો અવ્વલ વકત જમાઅત કર લેના બેહતર હે.(‘નિઝામ ઉર્દૂ માસિક, ૧૯૬૩)

Log in or Register to save this content for later.