Chapter : તહારત
(Page : 197-198-199-200)
સવાલ :– સલામ મસ્નનૂ બાદ ગુજરાતી બુખારી શરીફ ભાગ – ૯ (અનુવાદ મવ. ઈબ્રાહીમ તટવા સાહેબ – જિદ્દહ, પ્રકાશક – ઈસ્માઈલ આઈ. ઘડીયાળી, પરીએજ) માં એક હદીષ શરીફ વાંચવામાં આવી જેમાં લખ્યું છે કે :
”હઝરત હુઝયફા રદિ. કહે છે કે હુઝૂર પાક સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એક કોમના ઉકરડા પાસે ઉભા રહયા અને ઉભા ઉભા પેશાબ કર્યો.” (સફાઃ ૧૧૦ હદીષ નં – રપ૩)
ઉપરોકત હદીષ શરીફ વાંચી અમો અચંબામાં પડી ગયા કેમકે અમો અત્યાર સુધી એવું જ સમજીએ છીએ કે બેસીને જ પેશાબ કરવો જોઈએ, ઉભા ઉભા પેશાબ ન જ કરવો જોઈએે. જેથી આપ સાહેબ ઉપરોકત હદીષ શરીફનો ખુલાસો ફરમાવી શુક્રિયહનો મોકો ઈનાયત ફરમાવશો, તાકે હમારા શુકૂક અને શુબહાત દૂર થાય.
જવાબ :– પેશાબ કરવાના તરીકાના આદાબમાંથી બેસીને પેશાબ કરવો છે, ઉભા ઉભા પેશાબ કરવો મકરૂહે તનઝીહી છે, કારણ કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની આદતે મુબારકહ બેસીને પેશાબ કરવાની હતી.
હઝરત આઈશહ (રદિ.) એ કહયું છે કે તમારા સામે જે એવી હદીષ બયાન કરે કે નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઉભા ઉભા પેશાબ ફરમાવતા હતા તો તેની વાત સાચી ન માનો, આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બેસીને જ પેશાબ કરતા હતા. (અહમદ, તિરમિઝી, નસાઈ બહવાલા શામી –૧/રર૯)
બુખારી શરીફની હદીષમાં હઝ. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના ઉભા રહીને પેશાબ કરવાનું વર્ણન છે, તેમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સામાન્ય આદતનું વર્ણન નથી, મજકૂર હદીસમાં ઉભા રહીને પેશાબ કરવો એ માત્ર એક વખતની ઘટના છે અને ઈમામ બુખારી (રહ.)નો મકસદ આ હદીષ નકલ કરીને ઉભા રહીને પેશાબ કરવાના તરીકાની તરગીબ આપવાનો અને તેને બેસીને પેશાબ કરવા ઉપર પ્રાધાન્ય આપવાનો નથી. એટલા જ માટે ઈમામ બુખારી (રહ.)એ જિલ્દ નં–૧ / પેજ નંબર – ૩પ ઉપર કિતાબુલ વુઝૂમાં આ હદીષ ઉપર મસ્અલાનું જે હેડીંગ લખ્યું છે તેમાં બેસવાનું પણ વર્ણન કર્યુ છે મસ્લાનું હેડીંગ છે બાબુલ બવ્લિ કાઈમન વ કાઈદન ( એટલે કે ઉભા રહીને અને બેસીને પેશાબ કરવાનું બયાન) તાકે આ હદીષથી કોઈ માણસ સમાન્ય હાલતમાં ઉભા રહીને પેશાબ કરવાને શરીઅતનો હુકમ અને તરીકો ન સમજી લે.
હઝ. ઉમર (રદિ.) કહે છે કે હઝરત નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ મને ઉભા ઉભા પેશાબ કરતાં જોયો તો આપે ફરમાવ્યું કે હે ઉમર ઉભા રહીને પેશાબ ન કરો. હઝરત ઉમર (રદિ.) કહે છે કે એ પછી મેં કદી ઉભા રહીને પેશાબ નથી કર્યો (તિર્મિઝી, ઈબ્ને માજહ) આ હદીષ નકલ કરીને સાહિબે મિશ્કાત લખે છે મુહદ્દિસે જલીલ શૈખ ઈમામ મુહયુસ્સુન્નત (રહ.) કહે છે કે હઝરત હુઝયફહ (રદિ.)થી સહીહ સનદથી નકલ છે કે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એક કોમના ઉકરડા પાસે આવ્યા અને ઉભા રહીને પેશાબ કર્યો (મુત્તફક અલયહિ) અને આ ઘટના ઉઝરના કારણે હોવાનું કથન છે. (મિશ્કાત શરીફ– ૪૩)
મજકૂર ઘટનામાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ ઉઝરના કારણે ઉભા રહીને પેશાબ કર્યો હતો, મુહદ્દિસીને કિરામ આ ઉઝર વિશે અનેક વાતો લખી છે, એક હદીસમાં છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના ગૂંઠણના અંદરના ભાગમાં દર્દ હતું અને તેના કારણે બેસવામાં તકલીફ હતી એટલે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે આ ઉઝરના કારણે ઉભા રહી પેશાબ કર્યો હતો. (નવવી શર્હે મુસ્લિમ – ૧ / ૧૩૩) અમૂક હદીસના આલિમો લખે છે કે તે જગ્યાએ ઉકરડો હતો અને બેસી શકાય એવી અનુકુળ જગ્યા ન હતી વળી એ પણ શકયતા છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ કારણસર તેના જાઈઝ હોવાને બતાવવા માટે ઉભા રહીને પેશાબ કર્યો હોય. (શામી–૧/રર૯, મઆ.સુનન–૧)
બાકી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સામાન્ય આદત અને શરીઅતે પસંદ કરેલો કરાહત મુકત તરીકો આ જ છે કે બેસીને પેશાબ કરવામાં આવે અને કોઈ કારણ વગર ઉભા ઉભા પેશાબ ન કરવો જોઈએ, કારણ કે ઉભા રહીને પેશાબ કરવાથી પેશાબ કરનારના કપડા અને શરીર ઉપર પેશાબના છાંટા ઉડવાનો ઘણો સંભવ અને ગાલિબ ગુમાન રહે છે, હાલાં કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પેશાબથી બચવાની ઘણી તાકીદ ફરમાવી છે. ઈબ્ને માજહ, દાર કુત્ની અને મુસ્તદરકે હાકિમમાં હઝરત અબૂ હુરૈરહ (રદિ.)ની હદીસમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનું ફરમાન છે કે પેશાબથી બચો, કારણ કે કબ્રનો આમ અઝાબ પેશાબના કારણે થાય છે.
(મઆ. સુનન–૧/ર૭પ)
ઈમામ બુખારી (રહ.) તહારતના મસાઈલમાં એક મસ્અલો આ પ્રમાણે પણ વર્ણન કર્યો છે કે જેમાં બે અઝાબ વાળી કબ્રો પાસેથી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પસાર થયા અને એક કબ્રમાં અઝાબ થવાનું કારણ એ બયાન ફરમાવ્યું કે તે પેશાબથી બચતો ન હતો. (બુખારી શરીફ – ૧/૩પ)
આજકાલ ઉઝર અને અગવડ વગર ઉભા રહીને પેશાબ કરવામાં વધુ કરાહત છે, કારણ કે આજકાલ ઉભા રહીને પેશાબ કરવો એ ગેર મુસ્લિમો અને બેદીન લોકોનો ખાસ તરીકો બની ચૂકયો છે અને બીજી કોમોના અનુસરણ અને અનુકરણથી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મનાઈ ફરમાવી છે આપનું ફરમાન છે કે જેણે કોઈ કોમની મુશાબહત અપનાવી તો તેનો શુમાર તે કોમમાંથી થશે.
કોઈ હદીષ શરીફનો સહીહ મતલબ અને હદીષ શરીફથી સાબિત થતો સહીહ મસ્અલા સમજવા માટે મસ્અલહને લગતી હદીષોનો અભ્યાસ કરવો જરૂરી છે, કોઈ એક હદીસના અભ્યાસથી મસ્અલહ નકકી કરી લેવાથી ગેર સમજ ઉભી થાય છે.
Log in or Register to save this content for later.