Chapter : તહારત
(Page : 195)
સવાલ :– મારે અવારનવાર મુસાફરી રહે છે, ઘણીવાર ઉતાવળમાં થેલીમાં ઢેલા (ઈસ્તિન્જા માટે) નાંખવાનું ભૂલી જાઉં છું, સ્ટેન્ડ ઉપર ગેર મુસ્લિમો ઉભા ઉભા પેશાબ કરતા હોવાથી હું ત્યાં જતો નથી, જેથી અન્ય જગ્યાએ ઈસ્તિન્જા માટે બેસવું પડે છે, ત્યાં પડેલ માટીના ઢેફાં બગડેલા હોય કે કોઈ વખત ચોમાસાના કારણે ભીના હોય છે, તો મારી પાસે વિદેશોમાં કે પ્લેનમાં કે સ્ટીમરમાં ટોયલેટ પેપર હોય છે, તે પાણીને ચૂસી લે છે, તેના ટુકડા રાખું છું કે ઈસ્તિન્જા માટે ઉપયોગ કરી શકાય. તો શું ઈસ્તિન્જા માટે તેનો ઉપયોગ કરવો જાઈઝ છે, ઉપયોગ બાદ નમાઝ પઢી શકાય, તહારત હાસિલ થઈ જશે ? આવા સ્પેશિયલ પેપરથી ઈસ્તિન્જો કરી શકાય ? તેના ઉપયોગ પછી પાણીની જરૂરત રહે છે ?
જવાબ :– જે કાગળ ખાસ ટોયલેટમાં ઉપયોગ માટે બનાવવામાં આવે છે, તેનાથી પેશાબ પછી ઈસ્તિન્જો કરવો વિના કરાહતે જાઈઝ છે અને તે કાગળથી પેશાબની જગ્યા સુકવી લીધા પછી પાણીનો ઉપયોગ કરવો જરૂરી નથી, પરંતુ પેશાબ કરતી વખતે એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે ગુપ્ત અંગની આસપાસની જગા પર પેશાબ ન લાગે.
(શામી –૧, અહ. ફતાવા –ર/૧૦૮)
Log in or Register to save this content for later.