Chapter : તહારત
(Page : 194)
સવાલ :– ખાધા પછી (લાકડાની) સરકડીથી દાંતોમાં ખિલાલ કરવો તેમજ સંડાસ પછી માટીથી હાથ ધોવા સુન્નત છે ?
જવાબ :– ખાધા પછી સરકડી (ખિલાલ) વડે દાંતોમાં ફસાયેલી વસ્તુ કાઢવાનું સુન્નત હોવું કોઈ કિતાબમાં નજરે નથી પડયું, પરંતુ ખાતી વખતે કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય તો તેનુ ખિલાલ અથવા ઝબાન વડે કાઢવું હદીસ શરીફથી સાબિત છે, અબૂ દાઉદ–ઈબ્ને માજહ અને દારમીમાં હઝરત અબૂ હુરયરહ (રદિ.)ની હદીસમાં હઝરત રસૂલુલ્લાહ (સલ.)નું ફરમાન છે કે જે માણસ ખાવું ખાય તો ખાવાના જે ટુકડા ખિલાલ વડે દાંતોમાંથી કાઢે તેને ફેંકી આપે અને જે ટુકડા ઝબાન વડે દાંતોમાંથી કાઢે તેને ગળામાં ઉતારી જાય. (મિશ્કાત : ૪૩/આલમગીરી : પ/૩૪પ )
સંડાસથી ફારિગ થઈ જમીન ઉપર ઘસીને હાથ ધોવા એ સુન્નત છે, અબૂ દાવૂદ શરીફમાં હઝરત અબૂ હુરયરહ (રદિ.)ની હદીસમાં છે કે હઝરત નબીએ કરીમ (સલ.) જ્યારે કઝાએ હાજત માટે તશરીફ લઈ જતા તો હું આપની પાસે એક વાસણમાં પાણી લઈ હાજર થતો, આપ (સલ.) તે પાણીથી ઈસ્તિન્જો ફરમાવતા, ફરી પોતાનો હાથ ધોતી વખતે તેને જમીન ઉપર ઘસતા હતા. (મિરકાત શર્હે મિશ્કાત ૩૬ર, ભા. ૧)
Log in or Register to save this content for later.