Chapter : તહારત
(Page : 191)
સવાલ :– પેશાબથી ફારિગ થઈને ઈસ્તિન્જો કર્યા પછી ઘણી જ કાળજી રાખવા છતાં ઈસ્તિન્જા પછી દસથી પંદર મિનિટ પછી પેશાબના ટીપાં પડે છે, જેના કારણે નમાઝ અદા કરવામાં શક થાય છે, તો તે માટે શું કરવું ? તે અંગે જરૂરી સમજ આપશો. આવી પરિસ્થિતિમાં નમાઝ અદા થાય કે નહિ ?
જવાબ :– પેશાબ કર્યા પછી પેશાબના કતરા બંધ થવાનો સંતોષ વ્યકત કરવો વાજિબ છે, ચાહે પેશાબના કતરા ટપકતા બંધ કરવા માટે અને અંગમાં બાકી રહેલા કતરા કાઢવા માટે કોઈ રીત અને ઉપાય અપનાવવો પડે તો તે અપનાવવો જરૂરી છે, (જેમ કે ઢેલું લઈને ચાલવું પડે, ખંખારવું પડે) અને કતરા ટપકવાના બંધ થવાનો સંતોષ થાય ત્યાર પછી જ વુઝૂ કરી નમાઝ પઢવી જોઈએ, જો વુઝૂ પછી પેશાબના કતરા ટપકે અને તે પછી વુઝૂ કર્યા વગર અને કપડાંની પાકી હાસિલ કર્યા વગર નમાઝ પઢશે, તો નમાઝ અદા થયેલી નહિ ગણાય, ફરી પઢવી પડશે. (‘શામી ૧/પ૦૮,પપ૮ ઝક.)
Log in or Register to save this content for later.