Chapter : તહારત
(Page : 187)
સવાલ :– એક માણસ જાજરૂ (પાયખાના) કર્યા પછી પાકી હાસિલ કરી લે છે; પણ ત્યાર બાદ થોડા કદમ ચાલ્યા પછી પેશાબના ટીપાં આવે છે, અલબત્ત ખબર પડતી નથી કે કયારે આવે છે, જયારે થોડા કદમ ચાલીને બેસી જાય અને પેશાબની જગાને ખૂબ દબાવે ત્યારે પણ ટીપાં આવે છે અને ફકત પેશાબ કર્યા પછી પણ જો પેશાબની જગાને દબાવે તો ટીપાં આવે છે યા થોડા કદમ ચાલીને બેસી જાય અને પેશાબની જગાને દબાવે ત્યારે ટીપાં આવે છે, તો આ માણસ કેવી રીતે પાકી હાસિલ કરે ?
જવાબ :– પાણીથી ઈસ્તિન્જો કરતાં પહેલાં જરૂરી છે કે પેશાબના ટીપાં બંધ થવાનું ઈત્મીનાન હાસિલ કરી લે, જે રીતથી પણ ટીપાં બંધ થતાં હોય; ચાહે મખ્સૂસ ભાગને દબાવવાથી બાકી રહેતા ટીપાં નીકળી જાય ને ત્યાર પછી બંધ થતાં હોય અને હલન ચલન પણ કરવું પડતું હોય તો ઈસ્તિન્જો કરતાં પહેલાં એ પ્રમાણે પેશાબ બંધ થવાનું યકીન હાસિલ કરી લેવું જરૂરી છે, જો યકીન હાસિલ કરવામાં નહિ આવે અને વુઝૂ કરશે તો પેશાબના ટીપાં આવવાથી વુઝૂ તૂટી જશે. (‘મરાકિયુલ્ ફલાહ પેજ ર૪)
Log in or Register to save this content for later.