[ર] નાબાલિગ તરફથી તેના વાલીના ઈજાબ કબૂલ મોઅતબર છે

Chapter : નિકાહ

(Page : 32)

સવાલ :–  પહેલાંના રિવાજ મુજબ આજથી ૧૪ વર્ષ પહેલાં ત્રણ ઉમર લાયક છોકરાઓ ભેગા મારા નિકાહ થયા હતા તે વખતે મારી ઉમર ૧૧ વર્ષની હતી. નિકાહ વખતે નિકાહ પઢાવનારે મને નાબાલિગ સમજીને અથવા બીજા કારણસર દુલ્હાને પૂછે છે તેમ ”નિકાહ કબૂલ કિયા” એવું મને પૂછયું ન હતું તો શું મારા નિકાહ થયા કહેવાશે?

જવાબ :– નાબાલિગના નિકાહ માટે તેના શરઈ વાલીની કબૂલાત જરૂરી છે અને નાબાલિગને પૂછવાનો અને તેની કબૂલાતનો કોઈ એઅતિબાર પણ નથી. માટે મજકૂર નિકાહમાં જો તમારા વાલીને પૂછવામાં આવ્યું અને તેઓએ કબૂલાત આપી હતી તો તમારા નિકાહ થઈ ગયા કહેવાશે, ચાહે તમોને તે સમયે પૂછવામાં આવ્યું ન હતું.

(શામી–ર/ર૯૬) (તાઃ ૧ – સફર – ૧૪૦પ હિજરી)

Log in or Register to save this content for later.