[૩૯૩ ] ઈસાલે સવાબ કરનારને પણ સવાબ મળશે

Chapter : નમાઝ

(Page : 492-493)

સવાલ :– આપણે દરરોજ કુર્આન શરીફની તિલાવત કરીએ અને આખા દિવસના અંદર જેટલું કુર્આન શરીફ પઢીએ એટલું રોજ સાંજે મરહૂમને ઈસાલે સવાબ કરી આપીએ તો જે સવાબ કુર્આન શરીફ પઢવાનું મળે છે તે ઈસાલે સવાબ કરવાથી પઢનાર વ્યકિતને સવાબ મળશે કે પછી ફકત મરહૂમને જ મળશે?

જવાબ :– પઢનારને પણ સવાબ મળશે, તેના સવાબમાં કોઈ કમી નહિં થાય, બલ્કે વધુ સવાબની પણ આશા રાખી શકાય.

               શામીમાં હદીષ નકલ કરવામાં આવી છે કે જેણે સૂરએ ઈખલાસ ૧૧ વાર પઢી પછી તેનો સવાબ મરહૂમોને બક્ષી દીધો તો તેને મરહૂમોની સંખ્યા બરાબર સવાબ મળશે.     (શામી–૧/૬૦પ)

Log in or Register to save this content for later.