[૩૯ર ] સરકારી સહાયથી કર્મચારીનો કફન દફન ખર્ચ

Chapter : નમાઝ

(Page : 492)

સવાલ :– આપણા ગુજરાત રાજયમાં ઘણા મુસ્લિમ ભાઈઓ સરકારી નોકરી કરે છે, પેન્સન પાત્ર નોકરી કરી નોકરીમાંથી સરકારી નિયમ મુજબ નિવૃત થાય છે. નિવૃત થયા પછી સરકાર તેઓને કાયદા કાનૂન મુજબ પેન્સન પણ આપે છે. પેન્સન મેળવતા ભાઈઓ જયારે અલ્લાહની રહમતે પહોંચી જાય છે, ત્યારે સરકારી નિયમોનુસાર તેમના કુટુંબના માણસોને દફન વિધિ માટે એક માસના પેન્સન જેટલી રકમ સરકાર શ્રી ચૂકવે છે. તો સદર રકમ ઈસ્લામી કાનૂન મુજબ લઈ શકાય કે કેમ ? અને તેનો ઉપયોગ કફન – દફન માટે થઈ શકે કે કેમ? તે જણાવશો. જો સદર રકમનો ઉપયોગ કફન – દફન માટે ન થઈ શકે એમ હોય તો આવી રકમ લઈ ગરીબોને આપી શકાય કે કેમ? તે જણાવશો.

જવાબ :– સરકારી નિવૃત્ત કર્મચારીના મૃત્યુ વખતે તેના કફન દફન માટે સરકાર તરફથી મળતી રકમ તેના કફન દફનમાં વાપરવી જાઈઝ છે તેમાં શરઈ દ્રષ્ટિએ કોઈ ખરાબી નથી.           (મુફીદુલ વારિસીન)

Log in or Register to save this content for later.