[૧૪૮] પેશાબની થેલી સાથે નમાઝ

Chapter : તહારત

(Page : 185)

સવાલ :– એક માણસે પેશાબની જગ્યાએ ઓપરેશન કરાવ્યું છે, ડોકટરે ઓપરેશન પછી તે માણસને એક થેલી બનાવીને આપી છે, જયારે તે માણસ પેશાબ કરે છે તો પેશાબ તે થેલીમાં જ જમા થાય છે તો આવી હાલતમાં નમાઝ જાઈઝ થશે કે નહિ ?

જવાબ :– જો મજકૂર માણસ કોઈ એક ફર્ઝ નમાઝના પૂરા વખતમાં પેશાબના ટીપાં ટપકતાં રહેવાથી શરઈ દ્રષ્ટિએ મઅઝૂર બની ચૂકયો છે અને હાલ પણ દરેક ફર્ઝ નમાઝના પૂરા વખતમાં કોઈક વાર ટીપાં ટપકી પડવાથી મઅઝૂર બાકી છે, તો તેના માટે હુકમ આ છે કે નમાઝથી પહેલાં પેશાબની થેલીને પાક–સાફ કરીને લગાવી લે અને નમાઝ પઢે, જો વુઝૂ પછી અને નમાઝથી પહેલાં અથવા નમાઝની હાલતમાં પેશાબના ટીપાં થેલીમાં ટપકી જશે તો પણ નમાઝ જાઈઝ ગણાશે અને જો મજકૂર માણસ ઉપરની વિગત મુજબ શરઈ દ્રષ્ટિએ મઅઝૂર નથી તો નળીવાળી એવી થેલી લટકાવીને નમાઝ પઢવી જેમાં પેશાબ જમા હોય અથવા પેશાબથી નળી અને થેલી નાપાક હોય એ જાઈઝ નથી, બલ્કે આવા ગેરમઅઝૂર માણસે નમાઝ પઢતી વખતે મજકૂર થેલીને નળી સાથે પોતાના શરીરીથી અલગ કરી દેવી જરૂરી છે.  (‘શામી ૧/ર૭૦)

Log in or Register to save this content for later.