[૧૪૭] જુનુબી કુર્આની દુઆઓ પઢી શકે

Chapter : તહારત

(Page : 184)

સવાલ :– બીમાર માણસ ગુસલ કરવા અશક્તિમાન હોય અથવા બીમાર માટે ગુસલ કરવું હાનિકર્તા હોય તો આવો બીમાર માણસ જનાબતની હાલતમાં કુર્આનિક દુઆઓ અને માષૂરહ દુઆઓ પઢી શકે.

જવાબ :– જનાબતની હાલતમાં દુઆની નિય્યતથી કુર્આનિક દુઆઓ અને માષૂરહ (હઝરત રસૂલુલ્લાહ સલ. અને સહાબાએ કિરામ (રદિ.)થી મનકૂલ હોય એવી) દુઆઓ પઢવી જાઈઝ છે, પરંતુ જે માણસ ગુસલ કરવા અશક્તિમાન હોય અથવા તેના માટે ગુસલ હાનિકારક હોય તો તે ગુસલની જગ્યાએ તયમ્મુમથી પાકી હાસિલ કરી શકે છે, માટે બેહતર આ છે કે તયમ્મુમ કરીને મજકૂર દુઆઓ પઢે. (શામી ભાગ ૧–૧૧૬/૧પ૯)

Log in or Register to save this content for later.