Chapter : તહારત
(Page : 183)
સવાલ :– ગૈર કોમ (કાફિર) કુર્આન મજીદ જોવા માંગે તો અપાય કે કેમ? જો આપણે એમના હાથમાં ન આપી શકીએ તો એ લોકો જે રીતે ગુસલ કરે છે એ રીતે ગુસલ કરી લે પછી આપી શકાય કે કેમ ? અથવા આપણા હાથમાં રાખી એને બતાવવું પડે ?
જવાબ :– ઈમામ અબૂ હનીફા અને ઈમામ અબૂ યૂસુફ (રહ.)એ તો ગૈર મુસ્લિમને કુર્આન આપવાની મના કરેલ છે, ભલે તે ગુસલ કરે કે ન કરે. ઈમામ મુહમ્મદ (રહ.)નું મંતવ્ય છે કે જો ગુસલ કરી લે તો તેને હાથમાં પકડવાની ઈજાઝત છે. સય્યિદ અહમદ તહતાવી (રહ.)એ પહેલા મંતવ્યને ભરોસાપાત્ર કહયું છે, માટે એહતિયાત એ છે કે ગૈરકોમને કુર્આન શરીફ ન આપવું જોઈએ. ખાસ કરીને એ પ્રમાણે આપવાથી તો બચવું જ જોઈએ કે ગમે તે હાલતમાં ગમે તે રીતે ઉપયોગ કરવા શક્તિમાન થઈ જાય અને કુર્આન શરીફ આપવા માટે તેમને ગુસલની ટુંકી રીત પણ બતાવવી જોઈએ.
(શામી ભા. ૧/૧૧૯ તહતાવી–૧/૧૦૦)
Log in or Register to save this content for later.