[૧૪૦] દવારૂપે કબૂતરની હગારનો ઉપયોગ

Chapter : તહારત

(Page : 180)

સવાલ :– કબૂતરની હગાર પાક છે ? કપડાં પર લાગી જાય તો શું હુકમ છે ? તેવી હાલતમાં નમાઝ થશે ? કબૂતરની હગાર દવાના બાહય ઉપયોગમાં લઈ શકાય ? પથરીની બીમારી અથવા બીજી કોઈ બીમારી માટે દવામાં મિક્ષ કરી ખાય શકાય ? મસ્જિદના કબૂતરનો શું હુકમ છે ?

જવાબ :– કબૂતરની હગાર પાક છે, કપડાં ઉપર લાગી હોય તો તેને પહેરીને નમાઝ પઢવી જાઈઝ છે. કબૂતરની હગાર દવાના તોર પર બાહય ઉપયોગ માટે લઈ શકાય છે, પરંતુ ખાવા–પીવાના ઉપયોગમાં લેવી જાઈઝ નથી, કારણ કે તે પાક છે પણ હલાલ નથી. અલબત્ત, સખત મજબૂરી હોય અને દીનદાર મુસલમાન ડોક્ટર અથવા હકીમના કહેવા મુજબ બીમારીનો એ સિવાય ઈલાજ ન હોય, તો જરૂરતના પ્રમાણમાં તેનો દવારૂપે ખાવામાં ઉપયોગ કરવો જાઈઝ છે અને મસ્જિદ તથા મસ્જિદ બહારના કબૂતરના હુકમમાં કોઈ ફરક નથી.     (શામી –૧/૧૪૭–ર૧૩)

Log in or Register to save this content for later.