Chapter : તહારત
(Page : 181)
સવાલ :– હું હાજી છું, મારી ઉમર ૬૩ વર્ષની છે, મને વા ની બીમારી છે, જેથી બેસીને ઈશારાથી નમાઝ પઢું છું, મારા જીવનનો મુંઝવણભર્યો પ્રશ્ન આ છે કે જ્યારે હું જાજરૂ કે પેશાબખાનામાં જાઉં છું ત્યારે હાથ ટેકવીને મારે બેસવું પડે છે, જે જગ્યાએ હાથ ટેકવું છું તે જગ્યાની પાકી માટે મને શંકા છે, ઉભા થતી વખતે હાથ મારા લિબાસને પણ લાગી જાય છે, જેથી તહારત માટે મને શંકા પેદા થાય છે, જેથી હું ઘેર અથવા મસ્જિદના સહનમાં એકલો નમાઝ પઢું છું, આવી હાલતમાં હું જમાઅતથી નમાઝ પઢું કે મેં બતાવેલ નિયમ મુજબ નમાઝ પઢું ?
જવાબ :– જાજરૂમાં જે જગ્યાએ તમે ટેકા માટે હાથ મૂકો છો તે જગ્યાના નાપાક હોવાની માત્ર શંકાના આધારે તમારો હાથ નાપાક થયેલો નહિં ગણાય અને મજકૂર શંકાના કારણે હાથ કપડાં પર લાગવાથી કપડાં પણ નાપાક નહિં ગણાય અને હાથ અથવા કપડાંની નાપાકીની શંકાના કારણે મસ્જિદની જમાઅત છોડવી જાઈઝ નથી. આવી શંકા જમાઅત છોડવાના શરઈ કારણોમાંથી નથી, માટે જમાઅત સાથે જ નમાઝ પાબંદીથી પઢવી જોઈએ અને જ્યાં સુધી જાજરૂમાં હાથ મુકવાની જગ્યાએ કોઈ નાપાકી હોવાનું યકીન કે ગાલિબ ગુમાન ન હોય ત્યાં સુધી તે જગ્યા નાપાક નહિં ગણાય અને સવાલમાં લખવા મુજબ જાજરૂમાં બેસતી વખતે જમીન પર હાથ મૂકવા પડતા હોય તો તેની એ પ્રમાણે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે નાપાકીની શંકા ઉભી ન થાય. (શામી–૧/૧૦ર)
Log in or Register to save this content for later.