[૧૩૮] ઝબહ કરી મરઘી ખૂબ ગરમ પાણીમાં નાખવી

Chapter : તહારત

(Page : 178)

સવાલ :– હમારે ત્યાં મરઘી ઝબહ કરી એનું ચામડુ અને પીછાં ઉતારવા માટે ઝબહ કરેલી મરઘીને એકદમ ગરમ પાણીમાં નાખવામાં આવે છે, તો આ રીતે ચામડું–પીછાં ઉતારી શકાય કે નહિં ? શું તેમાં નાપાકી પેવસ્ત થઈ જશે ? આવું ગોશ્ત ખાઈ શકાય કે નહિં ? દલીલ સાથે જણાવશો.

જવાબ :– મરઘી ઝબહ કર્યા પછી પેટ ચીરી અંદરનો નકામો ભાગ કાઢયા વિના ખૂબ જ ગરમ પાણીમાં નાંખવામાં આવે અને એટલીવાર તેને પાણીમાં રહેવા દે કે પેટની અંદરની નાપાકી અને વહેતા લોહીની નાપાકી ગોશ્તમાં પ્રસરી જવાનો સંતોષ થઈ જાય, તો એવો ગોશ્ત નાપાક ગણાશે અને હવે તેને પાક કરવાનો કોઈ રસ્તો પણ નથી, જો ઉકળતા પાણીમાં આવી ઝબહ કરેલી મરઘીને નાખીને એ પ્રમાણે તુરત બહાર કાઢી લેવામાં આવે કે નાપાકી ગોશ્તમાં પ્રસરવા ન પામે, તો આ સૂરતમાં તે ગોશ્ત પાક અને હલાલ ગણાશે.   (શામી –૧/રર૩, અલ્‌ બહર –૧/ર૩૯)

Log in or Register to save this content for later.