Chapter : તહારત
(Page : 177)
સવાલ :– આપણે ધોબીને કપડાં ધોવા માટે આપીએ છીએ, તે પાકી નાપાકીનો ખ્યાલ રાખતો હોતો નથી, બીજું કે કપડાંની પ્રેસ કરવામાં પોતાના ઘરનું પાણી વાપરે છે અને તે પણ નાપાક હોય શકે છે, તો આવા કપડાં પહેરી નમાઝ પઢવામાં કોઈ ઉણપ આવશે ખરી ?
જવાબ :– જો ધોબીને ધોવા આપેલું કપડું પાક હતું તો જ્યાં સુધી આપણને કોઈ નાપાકી લાગવાની ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તે કપડુ પાક જ ગણાશે અને જો નાપાક કપડુ અને ધોબી વિશે આપણને ખબર હોય કે તે નાપાક કપડું પાક કરવાના તરીકા મુજબ ધોતો નથી, તો તે ધોબીને નાપાક કપડું ધોવા ન આપવું જોઈએ અને ધોબીના ધોયા પછી પણ પોતે ધોઈને તે કપડાંમાં નમાઝ પઢવી જોઈએ.
અને ધોબી પ્રેસ કરતી વખતે જે પાણી વાપરે તેના નાપાક હોવાની માત્ર શંકા–શક્યતાના આધારે કપડું નાપાક નહિ ગણાય અને તેવું પ્રેસ કરેલું કપડું પહેરી નમાઝ પઢી શકાય છે. (અલ અશ્બાહ : પ૭)
Log in or Register to save this content for later.