Chapter : તહારત
(Page : 176)
સવાલ :– અમુક માણસો સઉદીમાં ભેગા રહે છે, એમાં હિંદુ પણ હોય છે, એ હિંદુ અમુક માણસોના કપડાં ધોતો હોય છે, જેથી તેના સાથે સારો વર્તાવ કરતાં તેના ઉપર ખાવાનો મસાલો અને સામાન લાવી પીસી આપવો તથા વઘાર બનાવી આપવો આ ઝિમ્મેદારી મુકવામાં આવી, બાકીનું કામ આપણા મુસલમાન ભાઈઓ કરે છે, તો આ પ્રમાણેનું ખાવા ખાવું કેવું છે ?
જવાબ :– હિંદુના હાથ અને શરીર ઉપર કુદરતી રીતે કોઈ નાપાકી નથી, જ્યાં સુધી તેના હાથ અથવા શરીર ઉપર કોઈ બાહય નાપાકી ન લાગે ત્યાં સુધી મુસલમાનની જેમ તેના જાહેરી બદનને પાક જ ગણવામાં આવશે અને જવાબદારી મુજબ જે હલાલ વસ્તુઓ તે હિંદુ ભાઈ બજારથી ખરીદી લાવે અને પાકીની સંભાળ રાખીને પકાવે તે હલાલ અને પાક છે, મુસલમાન માટે તે ખાવું જાઈઝ અને હલાલ છે. અલબત્ત, તે હિંદુને એ વાતનો પાબંદ બનાવવામાં આવે કે જો ઝબહ કરેલો ગોશ્ત બજારમાંથી ખરીદે તો હંમેશા મુસલમાનની દુકાનેથી જ ખરીદ કરે અને સજીવન જાનવર લાવે તો પોતે ઝબહ ન કરે, બલકે મુસલમાન સાથીઓમાંથી કોઈને ઝબહ કરવા આપી દે. (શામી ભાગ–પ/ર૧૯)
Log in or Register to save this content for later.