Chapter : તહારત
(Page : 174)
સવાલ :– આંખમાં દવા નાખવાથી ગળામાં તાત્કાલિક આવતી નથી, તેમજ તેનો સ્વાદ પણ લાગતો નથી, થૂંક આવે છે, લોકો આ દવાના વખાણ કરે છે અને કહે છે કે દરેક બીમારીમાં કામ લાગે છે, પરંતુ ૮ M.L. દવામાં ૯.પ ટકા અલકોહલ હોય છે. તો આવી દવાનો આંખમાં ઉપયોગ કરી શકાય કે નહી ?
જવાબ :– ફિકહની ઉર્દૂ કિતાબોથી માલૂમ પડે છે કે અલકોહલ શરાબ (દારૂ)માંથી કાઢવામાં આવતો ખાસ નશાવાળો ભાગ છે, એટલે તે દારૂનો સત થયો, અને મોટા ભાગે દવામાં જે અલકોહલ મિલાવટ કરવામાં આવે છે તે ઉચ્ચ પ્રકારની શરાબમાંથી હોય એ શક્ય છે, માટે બેહતર એ છે કે સખત જરૂરત સિવાય આવી દવાનો ઉપયોગ કરવામાં ન આવે, કારણ કે જો ખાસ સર્વમાન્ય હરામ અને નાપાક શરાબમાંથી પ્રાપ્ત કરેલ અલકોહલ હશે તો તે નાપાક છે અને દરેક રીતે તેનો ઉપયોગ હરામ છે. (ઈમ. ફતાવા ભાગ–૧/૧૩૦)
Log in or Register to save this content for later.