[૧૩ર] તિલાવત કરતાં પેશાબના ટીપાં નીકળે

Chapter : તહારત

(Page : 174)

સવાલ :– જે માણસને દિવસમાં કોઈક વાર પેશાબના ટીપાં એકાએક નીકળી જવાની શિકાયત હોય, તેવો માણસ જો કુર્આન શરીફની તિલાવત કરતો હોય તે દરમ્યાન પેશાબનાં ટીપાં નીકળે તો ટીપાંવાળા પહેરેલ કપડાં સાથે કુર્આન શરીફની તિલાવત કરી શકે કે નહિં ?

જવાબ :– કોઈક વાર પેશાબનાં ટીપાં નીકળવાથી તે શરઈ દ્રષ્ટિએ મઅ્‌ઝૂર નહિં ગણાય, એટલે જો કુર્આન પઢતાં પઢતાં ટીપાં નીકળે તો વુઝૂ તૂટી જશે, માટે તરત કુર્આન શરીફને પકડવાનું બંધ કરે અને વુઝૂ કરી તે પછી તિલાવત કરે. રહી એ વાત કે વુઝૂ કર્યા પછી તે જ ટીપાંવાળા કપડાં પહેરીને તિલાવત કરી શકાય કે નહિં તો આ વિશેનો હુકમ આ પ્રમાણે છે કે તે કપડાં પહેરીને પણ તિલાવત કરી શકે છે, જાઈઝ છે, પરંતુ ખિલાફે અદબ છે, કારણ કે પાક સાફ કપડાં પહેરીને કુર્આનની તિલાવત કરવી મુસ્તહબ છે.   (કબીરી–૪૯પ, અહસનુલ ફતાવા, ભાગ–ર/૮ર)

Log in or Register to save this content for later.