Chapter : તહારત
(Page : 173)
સવાલ :– સેન્ટ લગાવવું કેવું છે ? તે છાંટીને નમાઝ પઢી શકાય કે નહિં?
જવાબ :– જે સેન્ટમાં આલ્કોહોલ નામી પદાર્થ વપરાય છે, જે દારૂ હોય છે, એવા સેન્ટનું ખરીદ–વેચાણ અને ઉપયોગ જાઈઝ નથી અને એવુ સેન્ટ જ્યારે નાપાકીની માફ મિકદારથી વધુ પ્રમાણમાં કપડા પર છાંટવામાં આવે તો એવુ કપડુ પહેરીને નમાઝ પઢવી પણ જાઈઝ નથી. (દુર્રે મુખ્તાર, શામી,પ/ર૮૯–ર૯૩, ઈ. ફતાવા–૧/૧૩ર)
અલકોહલ નજાસતે ગલીઝહ છે, એ યાદ રાખવું જરૂરી છે. (દુ. મુખ્તાર, શામી–૧/ ર૧૩)
Log in or Register to save this content for later.