[૧ર૭] કપડા પર પેશાબનો નાનો ડાઘો પાણીથી ફેલાય જાય

Chapter : તહારત

(Page : 171)

સવાલ :– એક માણસે ઢેલાથી ઈસ્તિન્જો કરી લીધા પછી પેશાબ બંધ થવાનો સંતોષ થઈ ગયો કે હવે પેશાબનો કતરો નહિં પડે, પછી કપડા ઉપર ચણા જેટલો પેશાબનો ડાઘો માલૂમ પડયો અને તે ડાઘો સુકાયા પછી પાણીથી ઈસ્તિન્જો કર્યો તો હવે તે ડાઘા ઉપર પાણી પડવાથી કપડુ નાપાક થશે કે નહિ અને તેવી હાલતમાં નમાઝ પઢી શકાય કે નહિ ?

જવાબ :– કપડા ઉપર ચણા જેટલો પેશાબનો કતરો પડયા પછી પાણીથી ઈસ્તિન્જો કરવાથી જે પાણી લાગ્યું અને તે કતરાવાળું પાણી કપડા ઉપર ફેલાવવાથી તે કપડુ નાપાક થઈ ગયેલું ગણાશે અને જો તે કપડા ઉપર ફેલાયેલું નાપાક પાણી એક દિરહમથી વધુ પ્રમાણમાં એટલે કે હથેળીના અંદરના ઉંડા ભાગથી વધુ પ્રમાણમાં હશે તો કપડાને પાક કર્યા વગર તેને પહેરીને નમાઝ પઢવી જાઈઝ નથી.   (આલમગીરી ૧/૪૭, શામી ૧/ર૧પ)

Log in or Register to save this content for later.