Chapter : તહારત
(Page : 171)
સવાલ :– જો ગરોળી (છિપકલી) અથવા તેનું બચ્ચું બિલીચનના પાણીમાં અથવા ખાદ્ય તેલમાં પડીને મરી જાય તો તે પાણી અને તેલ નાપાક થશે કે નહિ?
જવાબ : – ગરોળી જે આબાદીમાં ઘરોમાં હોય છે, તેના મજકૂર પાણી અને તેલ જેવી કોઈ પ્રવાહી વસ્તુમાં પડી મરી જવાથી તે પ્રવાહી વસ્તુ નાપાક નહિં થાય, તે પાક જ રહેશે, પરંતુ ગરોળી ઝેરી જાનવર હોવાથી જો ખાવા–પીવાની વસ્તુમાં પડી જાય તો તેવી વસ્તુના ખાવા–પીવાથી નુકસાન થવાનો ભય છે, માટે તેવી વસ્તુ ખાવા–પીવાથી બચવું જરૂરી છે. (બદાઈઅ ૧/૬ર, અઝીઝુલ ફતાવા ૧૮૪)
Log in or Register to save this content for later.