[૩૮૬] દફન પછી કબ્ર પાસે દુઆ અને કિરાઅત માટે થોભવું

Chapter : નમાઝ

(Page : 486-487)

સવાલ :– બે ત્રણ દિવસ પહેલાં હું મારા સગાની મય્યિતમાં એક ગામે ગયો ત્યાં જનાઝહની નમાઝ બાદ કબ્રસ્તાનમાં દફન કરવા ગયા, મગફિરતની દુઆ પૂર્ણ કરી અમો કરીબી રિશ્તેદારો મરહૂમની મગફિરત માટે દુઆઓ કરતા હતા. હું પણ સૂરએ યાસીન પઢતો હતો તે દરમિયાન બે–ત્રણ જાહિલ જણાતા ભાઈઓ આવ્યા અને બધાને કબ્રસ્તાનની બહાર જવા કહયું. કારણ પૂછતાં જવાબ આપ્યો કે ૪૦ કદમ પૂરા નહિં થાય ત્યાં સુધી ફરિશ્તાઓ સવાલ–જવાબ માટે આવી શકે નહિં અને ફરિશ્તાઓને તકલીફ પડે. મેં માન્યું નહીં તો પણ હાથ પકડી એક ભાઈ મને બહાર લઈ ગયા. હું યાસીન શરીફ પઢી શકયો નહિં. મેં કહયું કે આવા ટાઈમે જ આપણે દુઆ કરવી જોઈએ. તો આ બાબતે સહીહ તરીકો જણાવશો જેથી જહાલત દૂર થાય. માણસ ગુજરી જાય ત્યાંથી દફન થાય ત્યાં સુધીનો સહીહ તરીકો જણાવશો.

જવાબ :– મય્યિતને દફન કર્યા પછી કબર પાસે એટલીવાર થોભવું જેટલીવાર કે એક ઉંટ ઝબહ કરીને તેનો ગોશ્ત વહેંચવામાં આવે એ મુસ્તહબ છે અને આ થોભવું હદીષ શરીફથી સાબિત છે અને કબ્ર પાસે થોભી મય્યિત માટે દુઆ – ઈસ્તિગફાર કરવો તથા કુર્આન પઢી ઈસાલે સવાબ કરવો એ પણ મુસ્તહબ અને સાબિત છે, માટે જે ભાઈઓએ આપને દફન પછી કબર પાસે થોભી દુઆ – કિરાઅતથી રોકયા અને કબ્રસ્તાનમાંથી નીકળી જવા કહયું તે ગલત અને ખોટું છે.

                              (શામી–૧/૬૦૧)

Log in or Register to save this content for later.