[૩૭૮ ] કબરમાં પૂરી મય્યિત કિબ્લા રૂખ સુવડાવવી સુન્નત છે.

Chapter : નમાઝ

(Page : 480-481)

સવાલ :– ”દારૂલ ઉલૂમ માસિક” ના સપ્ટેમ્બરના અંક નં –૩ વર્ષ ૧૮ના પેજ નંબર પ૮ ઉપર આપેલ મૌતની ખોટી રસ્મોમાં ”નંબર – ૪ દફનમાં પૂરી મય્યિતને કિબ્લારૂખ સૂવડાવી મસ્નૂન છે. ફકત ચેહરો કિબ્લા રૂખ કરવો કાફી નથી.”

અત્યાર સુધી આખી મય્યિતને કિબ્લા રૂખ કરવાનું જોવામાં આવ્યું નથી, તો શું આખી મય્યિતને કિબ્લારૂખ કરવા માટે આડી સુવડાવવી કે ફકત મોઢું જ ફેરવવું ? આ મુઝવણ દૂર કરશો.

જવાબ :– પૂરી મય્યિતને કબ્રમાં જમણી કરવટ ઉપર સૂવડાવવાનો તરીકો જ સહીહ અને અમલ માન્ય છે, દુર્રે મુખ્તારમાં તો મય્યિતને કિબ્લારૂખ કરવાને વાજિબ લખ્યું છે, ચાહે અમૂક કિતાબોમાં તેને સુન્નત પણ બતાવ્યું છે.

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે બૈતે હરામ (હંમેશા માટે) તમારો કિબ્લહ છે તમારા હયાત હોવાની હાલાતમાં  પણ અને તમારી મવતની હાલતમાં પણ.         (શામી – ૧, નસ.ર્રાયહ–ર/૩૦ર)

               જેવી રીતે જીંદગીમાં કિબ્લારૂખ થવા માટે માણસ પુરૂં શરીર કિબ્લા તરફ કરે છે એવી જ રીતે મવત પછી કિબ્લારૂખ કરવા માટે મય્યિતનું પુરૂં શરીર જમણી કરવટ ઉપર કિબ્લા રૂખ કરવામાં આવશે. દુર્રે મુખ્તારમાં એ વાતની ચોખવટ મવજૂદ છે.  (ઈમ. ફતાવા–૧/૭૧૧)

Log in or Register to save this content for later.