[૩૭૬] વરસાદના કારણે જનાઝહ મસ્જિદમાં મૂકવો

Chapter : નમાઝ

(Page : 479)

સવાલ :–  એક ઓરતનો ઈન્તિકાલ થઈ ગયો તેની જનાઝહની નમાઝ પઢવા લોકો જનાઝહ લઈને આવતા હતા એવામાં વરસાદ શરૂ થઈ ગયો અને અસરની નમાઝનો ટાઈમ પણ થઈ ગયો, તો ઔરતના જનાઝહને મસ્જિદના વરંડામાં (જે જમાઅત ખાનામાં દાખલ છે) અસરની નમાઝ પૂરી થતાં સુધી મૂકી રાખવામાં આવ્યો એના વિશે ચોખવટ કરશોજી.

જવાબ :–  વગર મજબૂરીએ પુરૂષ કે ઔરતનો જનાઝહ મસ્જિદમાં લઈ જવો મકરૂહ છે.                                   (શામી – ૩/૧ર૬)

               વરસાદ ના કારણે જનાઝહની હિફાઝત અને અસરની નમાઝ પઢવાના હેતુથી ઔરતનો જનાઝહ સવાલમાં લખેલી હંગામી હાલતમાં મસ્જિદમાં મૂકવો જાઈઝ છે.                  (શામી–૩/૧ર૯)

Log in or Register to save this content for later.