Chapter : નમાઝ
(Page : 477-478)
સવાલ :– મય્યિતને ગુસલ આપતી વખતે પાણીના છાંટા કપડાં ઉપર પડે છે તો તે પાણી વિશે શું હુકમ છે ? ગુસલ આપનારે કપડાં બદલવા જરૂરી છે કે કેમ? ગુસલ આપનારને ગુસલ કરવાની જરૂરત પડે કે નહિં?
જવાબ :– મય્યિતના ગુસલમાં વપરાયેલા પાણીના પાક – નાપાક હોવા વિશે ફુકહાએ કિરામનો મતભેદ છે, વધુ પડતાં ફુકહાએ કિરામ (રહ.)એ તેને નાપાક બતાવ્યું છે, માટે તેવું પાણી કપડાં ઉપર ન લાગે તેની કાળજી રાખવી જોઈએ, અને લાગી જાય તો એહતિયાત એ જ છે કે તે કપડાં બદલી નાખવા જોઈએ.
(શામી– ૧/૧૪૧,પ૭૩, ઉમ. ફિકહ–૧/ર૦૮)
મય્યિતને ગુસલ આપનારે ગુસલ આપી ફારિગ થયા પછી ગુસલ કરવું મુસ્તહબ છે. (શામી – ૧)
Log in or Register to save this content for later.