[૩૭ર] નમાઝની જગ્યા પર ધાબુ બનાવવું

Chapter : નમાઝ

(Page : 476-477)

સવાલ :– અમારા ગામના કબ્રસ્તાનમાં જનાઝહની નમાઝ પઢવા માટે એક સીમેન્ટનો ઓટલો બનાવેલ છે, તેનું માપ ૧૬ શ્ ૧૩ ફૂટ છે. તેના ઉપર એક ભાઈએ ચારે બાજુ થાંભલા તથા ઉપર ધાબુ ભરી ઢાંકવા માટે ઈમદાદ આપવાનું નકકી કરેલ છે. તો આ રીતે જનાઝાગાહ ઢાંકવી જાઈઝ છે કે કેમ તે જણાવશો. આ ખર્ચ કરવાથી મરનારને ઈસાલે સવાબ મળશે કે કેમ તે પણ જણાવશો. માહોલ બીલકુલ મુખાલફતનો છે. તે ખાસ ધ્યાન રાખશો.

જવાબ :–  જનાઝહની નમાઝ પઢવા માટેની જગ્યા ઉપર પાકુ ધાબું અથવા છાપરું બનાવવું જરૂરી નથી અને નાજાઈઝ પણ નથી. તેનાથી નમાઝમાં કોઈ કરાહત નહિ આવે, અલબત્ત ધાબા અથવા છાપરાથી જનાઝહની નમાઝ પઢનારાઓને જેટલા દરજામાં રાહત અને લાભ મળશે, તે પ્રમાણે તે બાંધકામનો રકમ ખર્ચ કરનારને અને મરનારને ઈસાલે સવાબની સુરતમાં સવાબ મળશે.              (શામી – ૧)

Log in or Register to save this content for later.