[૩૬૬ ] પૈસા લઈને ઈસાલે સવાબ

Chapter : નમાઝ

(Page : 473)

સવાલ :– એક મૌલ્વી સાહેબ પાસે એક માલદાર જાહિલ વ્યકિત પોતાના મર્હૂમોના ઈસાલે સવાબ માટે કુર્આન શરીફ ખત્મ કરાવે છે. મૌલાના સાહેબ કહે છે કે મહિનામાં ૮–૧૦ કુર્આન શરીફ ખત્મ કરે છે. તે પ્રમાણે એક ખતમના રૂા પ૦ મૌલાના સાહેબને તેઓ આપે છે તો આ પ્રમાણે પૈસા લેવું કેવું છે? અને આ પ્રમાણે કુર્આન શરીફના ખત્મનો સવાબ મર્હૂમોને પહોંચે છે કે કેમ ?

જવાબ :– ઈસાલે સવાબ માટે કુર્આન ખ્વાની બદલ પૈસા લેવા નાજાઈઝ છે. અલ્લામા શામી (રહ.) લખે છે કે પૈસા લઈને પઢનારને  કોઈ સવાબ જ મળતો નથી, તો તે પઢનારના મર્હૂમોને શું પહોંચાડી શકશે ?              (શામી – પ)

Log in or Register to save this content for later.