[૩૬૩ ] લોકોની રાહ જોઈને જનાઝહમાં મોડું કરવું

Chapter : નમાઝ

(Page : 471)

સવાલ :– સામાન્ય રીતે આપણા સમાજમાં પચ્ચીસ કે પચાસ કિ.મી. બલકે ૪૦૦ થી પ૦૦ કિ.મી. દૂરથી સગાં–સંબંધીઓને દફનવિધિ માટે બોલાવવાનો આગ્રહ હોય છે અને એ કારણે અમુક વખત મય્યિતને ર૪ કલાક અથવા એથી વધુ રોકવી પડે છે, તો આ પ્રમાણે મય્યિતને રોકી દફનવિધિ માટે ભેગા કરવાની શરીઅતમાં ગુંજાઈશ છે કે નહિં ? મય્યિતને કેટલો સમય રોકી શકાય ? નજીકના સગાં–બાપ બેટા માટે મય્યિતને રોકવાની ગુંજાઈશ છે ?

જવાબ :– જયારે મય્યિત થઈ જાય તો તુરત તેના ગુસલ – કફન – નમાઝ અને દફનની તૈયારી કરવી અને જલ્દી કરવી મુસ્તહબ છે. હઝરત તલ્હા (રદિ.)ની સકરાત શરૂ થઈ તો હઝરત રસૂલુલ્લાહે (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરમાવ્યું કે તેઓની વફાત થઈ જાય તો મને ખબર આપો, હું તેઓના જનાઝહની નમાઝ પઢું અને જલ્દી કરો, કારણ કે મુસ્લિમ મય્યિતને તેઓના ઘરવાળાઓમાં રોકી રાખવી એ યોગ્ય અને સારું નથી.                   (શામી–૧/પ૭ર)

               દફનમાં શરીક થઈ શકે અને નમાઝમાં મોટો સમૂહ થાય એ હેતુથી નમાઝ અને દફનમાં મોડું કરવું મકરૂહ છે.  (શામી – ૧/૬૦ર)

Log in or Register to save this content for later.